તોડફોડનું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છેઃ એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં મુંબઈના એક સ્ટુડિયોમાં પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે.તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ કાનૂની કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે. એક ઇન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે કુણાલ કામરાએ ફક્ત તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે પણ અપમાનજનક અને કટાક્ષપૂર્ણ…







