અમદાવાદમાં માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન અનફૂલ ફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદના સ્થાપના વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લિખિત ‘સાબરમતી નેવિગેશન અનફૂલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત આ ગ્રંથમાં 1894 સમયમાં ખંભાતના અખાતથી ચેનલ મારફતે દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવીને શહેરને મેરીટાઈમ સીટી તરીકે વિકસાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, જો – કે બ્રિટિશ સરકારે આ યોજના નકારી કાઢતાં આ મહત્વકાંક્ષા અધૂરી રહી હતી, તેમ છતાં આજના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ સહિતના પ્રકલ્પોને કારણે તે સ્વપ્ન કેટલેક અંશે સાકાર થયાનું માનવામાં…

સાબરમતી તટે ‘વોકલ ફોર લોકલ’ મેળા: 7 દિવસમાં આદિવાસી હસ્તકલાકારોને રૂ. 15 લાખની કમાણી

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો. તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. 28 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી સાત દિવસીય ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહી માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ એક સશક્ત આદિવાસી સમાજની ગાથા રજૂ કરવામાં આવી હતી. ઊર્જાવાન અને પ્રજાસેવક આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળાએ શહેરીજનોને સીધા જ આદિવાસી લોકજીવન સાથે જોડી દીધા હતા. ડાંગના ગાઢ જંગલો હોય કે સાપુતારાના ડુંગરો રાજ્યના 13 જેટલા…

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી માંગના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેને અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અગાઉ અમિત શાહે આપી હતી. આ પ્રસંગે સાબરમતી નદી વિસ્તારમાં વસતા રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. આ સાથે ગૃહપ્રધાન પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. કાર્યક્રમોની સમયસૂચી અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ – બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે – સાંજે 6…

ગુજરાતના અમદાવાદમાં 600 થી વધુ પતંગબાજો પહોંચ્યા, સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોથી આકાશ ‘રંગીન’ થયું

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ત્રિરંગો ફુગ્ગો ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. પતંગ મહોત્સવની શરૂઆત રંગબેરંગી કાર્યક્રમો સાથે થઈ. ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના પતંગબાજો સાથે રાજદ્વારીઓ સાથે મુલાકાત કરી. દર વર્ષે વિશ્વભરના રાજદૂતો આ પતંગ મહોત્સવ જોવા માટે ગુજરાતમાં આવે છે. આ વર્ષે ૧૧ દેશોના રાજદૂતો ગુજરાતમાં આવ્યા છે. આ વખતે ગુજરાતના પ્રવાસન વિભાગે ૧૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે અને ૧૩ જાન્યુઆરીએ કચ્છના સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે યોજાશે.   અમદાવાદના…

અમદાવાદ “ફલાવર શો” ની ખુશ્બુ આખી દુનિયામાં ફેલાઇ, વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને ગિનિસ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં મળ્યુ સ્થાન.

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ. સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી. જેમાં આ અદ્ધભુત ફલાવર બુકે 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે.     અગાઉ આ રેકોર્ડ UAE સ્થિત એલ- એઇન પાસે હતો. જેને ગત વર્ષે 18 જાન્યુઆરી 2024ના રોજ 7.7મીટર ફુલના બુકે માટે આપવામા આવ્યો હતો.ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામાં આવેલા એવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહીતના મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.     ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં  સૌથી લાંબી 221 મીટર  ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં…

અમદાવાદ: આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે, જાણો ફલાવર શો 2025માં શુ છે ખાસ….

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપ નું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ પણ લોકોનુ આર્કષણનુ કેન્દ્ર બનશે.   આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ ભારતનાં વિકાસની થીમ પર અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં સમય: સવારે 9:00 થી રાત્રે 11:00 સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ…

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, 2 લોકો ઈજાગ્રસ્ત

B India અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ડિલિવરી મેન અને રિસિવર સહિત બે લોકો ઘાયલ થયા હતા.સાબરમતીના શિવમ રો હાઉસમાં આજે સવારે આ ઘટના બની હતી જ્યારે એક ડિલિવરી મેનએ એક બળદેવ ભાઈ માટે બનાવાયેલ પાર્સલ પહોંચાડ્યું હતું. કિરીટ સુખૈડા એ વ્યક્તિ છે જે ઘાયલ થઈ હતી. પાર્સલની અંદરની બેટરી ફાટતાં જોરદાર ધડાકા સાથે અચાનક ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોના પરિવારના સભ્ય કમલ સુખૈડાએ જણાવ્યું હતું કે, “હું કામ પર હતો ત્યારે મારી માતાએ ફોન કર્યો હતો અને કહ્યું હતું…