યુક્રેનમાં ફરી ભારતીયો પર સંકટ: ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. યુક્રેનના મહત્વપૂર્ણ ઓડેસા બંદર નજીક એક વેપારી જહાજ પર હુમલો થતાં તેમાં સવાર ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી બે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે ભારતીયોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કીવ સ્થિત ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે તે સ્થાનિક સત્તાવાળાઓ અને સંબંધિત એજન્સીઓના સતત સંપર્કમાં છે. શું બની સમગ્ર ઘટના? ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, યુક્રેનના ઓડેસા બંદર પર ‘MV AGN Ragnar’ નામના વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સ ફરજ બજાવી રહ્યા હતા. હુમલા બાદ બે ભારતીયો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે અંગે હજુ સુધી સ્પષ્ટ…
મધ્ય પૂર્વ સંઘર્ષમાં રશિયાની એન્ટ્રીના અહેવાલ, ઈરાનને અમેરિકાની ગુપ્ત માહિતી આપ્યાનો દાવો
ઈરાન–ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે મધ્ય પૂર્વના સંઘર્ષમાં વધુ એક વૈશ્વિક શક્તિ જોડાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાએ પોતાના નજીકના સાથી દેશ ઈરાનને એવી ગુપ્ત માહિતી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના આધારે પ્રદેશમાં હાજર અમેરિકી સૈન્ય શક્તિ સામે કાર્યવાહી શક્ય બની શકે. માહિતી મુજબ આ ગુપ્ત ડેટામાં અમેરિકાના યુદ્ધ જહાજો, લશ્કરી વિમાનો અને મધ્ય પૂર્વમાં આવેલી અન્ય સૈન્ય સુવિધાઓ વિશેની વિગતો સામેલ હોઈ શકે છે. જો આ માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો ઈરાન માટે અમેરિકી દળોને નિશાન બનાવવું વધુ સરળ બની શકે છે. આ ઘટનાએ પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી છે. રશિયા-ઈરાન સંબંધો કેમ મજબૂત બન્યા? છેલ્લાં કેટલાક વર્ષોમાં રશિયા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર નજીકતા જોવા મળી…
એટલાન્ટિક મહાસાગરમાં ગેરકાયદેસર ઓઈલ ટેન્કર મુદ્દે અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સર્જાયો તણાવ
એટલાન્ટિક મહાસાગરમાં એક ગેરકાયદેસર ઓઈલ ટેન્કર મુદ્દે વૈશ્વિક તણાવ વધ્યો છે. અમેરિકાની નેવી દ્વારા રશિયા અને વેનેઝુએલાના એક ટેન્કર જપ્ત કરવાના પગલાને લઈ રશિયા અને ચીન કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિશ્લેષકો જણાવે છે કે આ મુદ્દો ભવિષ્યમાં સંઘર્ષનું કારણ બની શકે છે. મામલો શું છે? જહાજને ઝડપી પગલાથી અટકાવવાનો પ્રયાસ અમેરિકાએ કર્યો હતો, કારણ કે તે શેડો ફ્લીટનું ભાગ હોવાનું જણાવાયું, જે ગુપ્ત રીતે ઈરાનની ઓઈલને વિશ્વભરમાં વહન કરે છે. શેડો ફ્લીટ જહાજોનો નેટવર્ક છે, જે પોતાના ધ્વજ અને ઓળખને બદલતા રહે છે અને ટ્રેકિંગ સિસ્ટમને બંધ કરીને પ્રતિબંધિત દેશોમાંથી ઓઈલ લાવવામાં સક્ષમ છે. જહાજ ઉપર ચઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ક્રૂએ પરવાનગી ન આપી અને અચાનક રસ્ટો બદલ્યો. આ દરમિયાન જહાજ પર રશિયાના ધ્વજ…
વેનેઝુએલાથી આવી રહેલા રશિયન ટેન્કરને US નેવીએ કર્યું જપ્ત, જાણો શું છે મામલો
અમેરિકા અને રશિયાની વચ્ચે વધતા તણાવ વચ્ચે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ટેન્કર ‘મરીનેરા’ને અમેરિકી સેના અને કોસ્ટ ગાર્ડે જપ્ત કરી દીધું છે. આ પગલાંને વૈશ્વિક રાજનીતિમાં ગંભીર ખળભળાટ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ઓપરેશન દરમિયાન રશિયન નૌકાદળનું યુદ્ધજહાજ અને સબમરીન પણ ઉપસ્થિત હતું. પ્રતિબંધોનો ઉલ્લંઘન: ટેન્કર જપ્ત અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, રશિયન ટેન્કર વેનેઝુએલાના તેલ વેપાર સાથે સંકળાયેલો હતો અને તે પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપમાં જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ફેડરલ કોર્ટના વોરંટના આધારે કરવામાં આવી હતી. ટેન્કર તેને ચકમો આપીને અમેરિકી દરિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ યુએસ કોસ્ટ ગાર્ડની વારંવાર સૂચનાઓનું પાલન ન કરનાર ટેન્કરને અંતે જપ્ત કરવામાં આવ્યો. ટ્રેકિંગ અને ઓપરેશન ટેન્કરને અઠવાડિયા સુધી એટલાન્ટિક મહાસાગરમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. ટેન્કર જપ્ત થવા…
PM મોદીના નિવેદન બાદ ઝેલેન્સકીના પેટમાં તેલ રેડાયું ! આપ્યું આ નિવેદન
PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હવે આ માટે ભારતની ટીકા કરી છે. યુક્રેને આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે આવો કોઈ હુમલો કર્યો નથી. આ દરમિયાન, યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ભારત પર બેવડા ધોરણનો આરોપ લગાવ્યો. ઝેલેન્સકીએ કહ્યું કે ભારત સહિત કેટલાક દેશો, જે પુતિનના નિવાસસ્થાન પર હુમલાની નિંદા કરી રહ્યા છે, તેમણે ક્યારેય અમારા બાળકો પરના હુમલા વિશે કંઈ કહ્યું નથી. ઝેલેન્સકીએ ભારત વિશે શું કહ્યું: એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં, ઝેલેન્સકીએ કહ્યું, “સાચું કહું તો, તે મૂંઝવણભર્યું અને ખરાબ છે કે ભારત, યુએઈ અને કેટલાક અન્ય દેશોએ પુતિનના નિવાસસ્થાન પર અમારા કથિત ડ્રોન હુમલાની નિંદા કરી, જે ક્યારેય થયું…
યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન એટેકનો પ્રયાસ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવએ સોમવારે દાવો કર્યો છે કે યુક્રે દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાવરોવના જણાવ્યા અનુસાર, આ હુમલો 28 ડિસેમ્બરના રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી કરવામાં આવ્યો હતો. લાવરોવએ દાવો કર્યો છે કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં. તેમણે આ પ્રકારની “બેજવાબદાર કાર્યવાહી” ને રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો અને જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળો હવે બદલો લેવા માટે લક્ષ્યો ઓળખી લીધા છે. શાંતિ વાટાઘાટો પર અસર લાવરોવના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી પીછો નહીં ખેંચશે, પરંતુ વાટાઘાટોની સ્થિતિને ફરીથી સમીક્ષા કરવામાં…
ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય હિતોના આધારે વૈશ્વિક મુદ્દાઓ પર નિર્ણયો લે છે. રશિયન તેલની ખરીદી પર પુતિનનો સ્પષ્ટ સંદેશ પુતિને કહ્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે વાજબી છે, કારણ કે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા પાસેથી પરમાણુ બળતણ ખરીદી શકે છે, તો ભારત કેમ તે ન કરે? તેમણે ઉમેર્યું કે રશિયન તેલ ઉદ્યોગ ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે માને છે અને બંને દેશો વચ્ચે ઊર્જા વેપાર સ્થિર છે. પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા પુતિનનો દાવો છે કે પીએમ મોદીનું નેતૃત્વ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી છે. તેમણે ભારતના સામાજિક-આર્થિક પરિવર્તન અને વિકાસની…
રશિયન રાષ્ટ્રપતિ પુતિન કેમ નથી વાપરતા સ્માર્ટફોન? કારણ જાણીને તમને લાગશે નવાઈ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે, 4 ડિસેમ્બરે બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિની મુલાકાત માટે સુરક્ષા વ્યવસ્થા કડક છે. શું તમે જાણો છો કે તેઓ એવા થોડા વિશ્વ નેતાઓમાંના એક છે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી? પુતિને પોતે આ માહિતી શેર કરી છે. તેમના નજીકના અધિકારીઓએ આ પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું છે. 2018 માં એક કાર્યક્રમમાં, કુર્ચેટોવ ન્યુક્લિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વડા મિખાઇલ કોવલચુકે ઉલ્લેખ કર્યો હતો કે આજકાલ દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન છે. રશિયન રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો, “તમે ઉલ્લેખ કર્યો હતો કે દરેક પાસે સ્માર્ટફોન છે, પણ મારી પાસે નથી.” ત્યારબાદ, એક રશિયન ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ આપી હતી કે, જ્યાં સુધી તેઓ જાણે છે, રાષ્ટ્રપતિ પુતિન પાસે ફોન…
રશિયન સંસદે ભારત સાથેના મુખ્ય લશ્કરી કરારને આપી મંજૂરી, જાણો શું છે ખાસ
આવતીકાલથી બે દિવસ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુતિનની મુલાકાત પહેલા, રશિયન સંસદના નીચલા ગૃહ ‘ડુમા’ એ ભારત સાથે એક મહત્વપૂર્ણ લશ્કરી કરારને મંજૂરી આપી છે. રશિયન સંસદ તરફથી આ મંજૂરી આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને સરકારો વચ્ચે લશ્કરી સાધનોના પરસ્પર આદાનપ્રદાન અંગેના કરાર પર હસ્તાક્ષર થયા બાદ આવી છે. ગયા અઠવાડિયે, રશિયન વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને લશ્કરી કરારને મંજૂરી માટે ‘ડુમા’ મોકલ્યો હતો. ડુમા ચેરમેને આ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, “ભારત સાથેના અમારા સંબંધો વ્યૂહાત્મક અને વ્યાપક છે, અને અમે આ સંબંધને મહત્વ આપીએ છીએ. અમારું માનવું છે કે કરારની મંજૂરી ચોક્કસપણે બંને દેશો વચ્ચેના સંબંધોને…
















