‘જી રામ જી’ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો શું છે વિગત

ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. આ કાયદા સાથે મનરેગાની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી છે, જેમાં ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત આધાર મળશે અને ગરીબ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે. સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ આ વિધેયક સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી ઐતિહાસિક ભૂલ…

PM કિસાન સન્માન નિધિનો 21માં હપ્તાને લઇ ખુશ ખબર, 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000

દેશના કરોડો ખેડૂતો માટે રાહતભર્યો સમાચાર બહાર આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો આવતી 19 નવેમ્બરે પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે. આ સાથે ખેડૂતોમાં આનંદ અને રાહતનું વાતાવરણ છવાઈ ગયું છે. દર ખેડૂતને મળશે ₹2,000 નો હપ્તો PM-KISAN યોજનાની હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે, જેમાં દરેક હપ્તો ₹2,000 નો હોય છે. 19 નવેમ્બરે જમા થનારો આ 21મો હપ્તો ખેડૂતોને રબી પાકની તૈયારી તેમજ ખેતી સંબંધિત અન્ય ખર્ચ માટે મહત્વપૂર્ણ સહાયરૂપ થશે. નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ વિશેષ મદદરૂપ બની રહે છે. લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત હપ્તો સમયસર જમા થાય તે માટે ખેડૂતોને પોતાના e-KYC તથા બેંક…