અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે દુકાનોની છત થઇ ધરાશાયી: ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી, કોઈ જાનહાની નહી
શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલાં વ્યસ્ત વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. જર્જરિત દુકાનોની સ્થિતિ બની દુકાનદારો માટે જોખમ કાલુપુર બ્રિજ વિસ્તાર ટ્રાફિક અને વેપાર માટે જાણીતો છે, જ્યાં ઘણી દુકાનો વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં છે. આજે આમાંથી સાત દુકાનોની છત અચાનક તૂટી પડતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, ઘટના સમયે દુકાનોમાં કોઈ મોટી ભીડ ન હોવાને કારણે જાનહાની કે ઈજા થઇ નથી. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી ઘટનાની જાણ મળતાની સાથે જ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી, કાટમાળ હટાવવાનું કાર્ય શરૂ કર્યું. બચાવ કામગીરી…







