અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે દુકાનોની છત થઇ ધરાશાયી: ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી, કોઈ જાનહાની નહી

શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલાં વ્યસ્ત વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી.

જર્જરિત દુકાનોની સ્થિતિ બની દુકાનદારો માટે જોખમ
કાલુપુર બ્રિજ વિસ્તાર ટ્રાફિક અને વેપાર માટે જાણીતો છે, જ્યાં ઘણી દુકાનો વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં છે. આજે આમાંથી સાત દુકાનોની છત અચાનક તૂટી પડતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, ઘટના સમયે દુકાનોમાં કોઈ મોટી ભીડ ન હોવાને કારણે જાનહાની કે ઈજા થઇ નથી.

ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી
ઘટનાની જાણ મળતાની સાથે જ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી, કાટમાળ હટાવવાનું કાર્ય શરૂ કર્યું. બચાવ કામગીરી દરમિયાન કોઈ ફસાયેલું ન હોવાનું પુષ્ટિ થયું છે. દુકાનદારો અને આસપાસના લોકોમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.

રોજગારી ગુમાવવાનો ડર, તંત્ર સામે રોષ
દુકાનદારોના કહેવા મુજબ, છત તૂટી પડતાં હવે તેમનો રોજગાર અટકી ગયો છે. કેટલાક દુકાનદારોનું કહેવું છે કે તેમણે અગાઉ પણ દુકાનોની જર્જરિત સ્થિતિ વિશે તંત્રને જાણ કરી હતી, પણ યોગ્ય પગલા ન લેવાયા.

આગામી પગલાં માટે માંગ
આ ઘટનાને આધારે સ્થાનિક વાસીઓ અને વેપારીઓએ કુલ બ્રિજ વિસ્તારની દુકાનોનું તાત્કાલિક સર્વે અને રિપેરિંગ કરવાની માંગ કરી છે, જેથી આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં.

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *