આતંકી હુમલાને લઈને રોબર્ટ વાડ્રાએ આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘આ વડાપ્રધાન માટે સંદેશ છે, કારણ કે મુસ્લિમો ખુદને કમજોર અનુભવી રહ્યા છે.’ આ સંવેદનશીલ સમયે વાડ્રાના આ નિવેદનથી ભારે ચર્ચાઓ શરૂ થઈ રોબર્ટ વાડ્રાએ કહ્યું, ‘મને ખૂબ જ ખરાબ લાગે છે અને આ આતંકવાદી કૃત્યમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.’ આપણા દેશમાં, આપણે જોઈએ છીએ કે આ સરકાર હિન્દુત્વની વાતો કરે છે, અને લઘુમતીઓ અસ્વસ્થતા અને વ્યગ્રતા અનુભવે છે. જો તમે આ આતંકવાદી કૃત્યનું વિશ્લેષણ કરો છો, તો જો તેઓ (આતંકવાદીઓ) લોકોની ઓળખ જોઈ રહ્યા છે, તો તેઓ આવું કેમ કરી રહ્યા છે? કારણ કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન થયું છે. આનાથી…

EDએ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યા છે. તેઓ પૂછપરછ માટે ED ઓફિસ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે અમે કંઈપણ માટે તૈયાર છીએ. જ્યારે હું લઘુમતીઓ માટે બોલું છું, ત્યારે આપણને દબાવવામાં આવે છે. રાહુલને સંસદમાં દબાવી દેવામાં આવે છે. ગુરુગ્રામના શિકોપુર ગામમાં જમીન સોદાના સંદર્ભમાં વાડ્રાને આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. સમગ્ર મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં વાડ્રાને પહેલી વાર બોલાવવામાં આવ્યા છે. હરિયાણા પોલીસે 2018 માં આ કેસમાં FIR નોંધી હતી. જાણો શું છે મામલો આ કેસ ફેબ્રુઆરી 2008 ના એક જમીન સોદા સાથે સંબંધિત છે, જે હેઠળ રોબર્ટ…