બરેલીના મૌલાનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેતવણી આપી, કહ્યું: “અન્ય ધર્મોનું અપમાન નહીં”

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મુસ્લિમ ધર્મગુરુઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, બરેલીના પ્રખ્યાત મૌલાના શહબુદ્દીન રઝવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપી છે. મૌલાનાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સતત બીજાં ધર્મો વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. શહબુદ્દીન રઝવીએ ચેતવણીમાં કહ્યું,”બાબા (ધીરેન્દ્ર શાસ્ત્રી) પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે. તેમને પોતાના ધર્મનો પ્રચાર કરવો જોઈએ, પરંતુ બીજાના મઝહબ પર હુમલો કે અપમાન સહન કરવામાં આવશે નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને આવા નિવેદનોથી દેશની એકતા અને ભાઈચારાને નુકસાન પહોંચે છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ‘હિન્દુ રાષ્ટ્ર’ અને ‘સનાતન’ અંગે કરેલા નિવેદનો બાદ દેશભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં…

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન: મહાપાત્રોના પરિવારના જણાવ્યા મુજબ, તેમને સ્થાનિક લોકોએ પહેલા ઢોર માર માર્યો અને ત્યારબાદ ઝેર આપ્યું. તેમને Silhet Osmani Medical College Hospital ના ICUમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા જ પીડિતે ચોરીની આશંકામાં ટોળાની પીછો થી બચવા માટે નહેરમાં કૂદી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો. તેમના મૃતદેહને ભંડારપુર ગામના પોલીસ સ્ટેશને કબજે લીધા. હત્યા પાછળના આરોપીઓ: પોલીસના જણાવ્યા અનુસાર, દીપુ ચંદ્ર દાસની લિંચિંગમાં મુખ્ય શંકાસ્પદ યાસીન અરાફાત છે, જેઓ ભૂતપૂર્વ શિક્ષક હતા. પોલીસે જણાવ્યું કે યાસીન અરાફાતે હત્યાનું આયોજન અને અમલીકરણ બંને…