દિલ્હી વિધાનસભામાં રૂ.22 હજાર કરોડના કથિત રાશન કૌભાંડ મુદ્દે ધમાસાણઃ AAPના 8 ધારાસભ્યો માર્શલ આઉટ

દિલ્હી વિધાનસભામાં કથિત રાશન કૌભાંડના મુદ્દે સત્તાધારી ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ભારે રાજકીય ઘર્ષણ જોવા મળ્યું છે. સબસિડીવાળા ચોખાની ખરીદી, ફાળવણી અને વિતરણમાં કથિત ગેરરીતિના આરોપોને લઈને AAP ધારાસભ્યોએ ગૃહમાં જોરદાર હોબાળો કર્યો હતો. વિપક્ષ દ્વારા આ મુદ્દે તાત્કાલિક ચર્ચા કરવાની માગ કરવામાં આવી હતી. જોકે, હંગામો વધતાં વિધાનસભા અધ્યક્ષના આદેશ બાદ AAPના 8 ધારાસભ્યોને માર્શલ દ્વારા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે AAPએ આશરે 22 હજાર કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, દિલ્હી સરકાર અને સત્તાધારી ભાજપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. સરકારનું કહેવું છે કે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથ્યવિહોણા છે અને રાજકીય હેતુથી મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે. દિલ્હી વિધાનસભામાં ચોખાના મુદ્દે ગૃહમાં…

દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ

દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિતરણના મુખ્ય ઘટકો: 1. અનાજ વિતરણ (વિનામૂલ્યે): અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ 2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ: બાજરી…