અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક: ધાર્મિક સમિતિનું પુનર્ગઠન થયું
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, મંદિરના ધાર્મિક સંચાલન અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટે મંદિરના સંચાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. અયોધ્યા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન, સંતોના માર્ગદર્શન હેઠળ થશે તમામ ધાર્મિક કાર્યો બેઠકમાં મંદિરના તમામ ધાર્મિક કાર્યોની પવિત્રતા જળવાઈ રહે તે માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિરની પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ અને પરંપરાગત કાર્યક્રમો સંતોના માર્ગદર્શન હેઠળ સંચાલિત થશે. અયોધ્યા ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી…
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રસ્ટે રામભક્તોને આપી ખુશખબર
સદીઓ સુધી ચાલેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું અંતિમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંબંધિત માહિતીને જાહેર કરતા તમામ રામભક્તોને ખુશખબર આપી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે મંદિરના તમામ મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય મંદિર ઉપરાંત પરકોટાના 6 મંદિરો — ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણા, તેમજ શેષાવતાર મંદિર પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. તમામ મંદિરો પર ધ્વજદંડ અને કળશ સ્થાપિત થઈ ચુક્યા છે. સપ્ત મંડપ અને અન્ય મંદિરોનો નિર્માણ પૂર્ણ ટ્રસ્ટે વધુમાં જણાવ્યું છે કે સપ્ત મંડપ, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિ પત્ની…








