રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાં સન્નાટો! કારણ સાંભળીને તમે પણ ચોકી જશો
B INDIA રાજકોટ : રાજકોટ શહેરનું બેડી માર્કેટિંગ યાર્ડ દિવસભર ધમધમતું રહે છે. પરંતું આ જ માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ સન્નાટો છવાઈ જાય છે. અહીંયા સન્નાટો છવાઈ જવાનું કારણ ચોંકાવનારું છે. બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે. આ આજી નદીમાં 50 જેટલા ઊંચા દેખાતા મચ્છરોના ફુવારા છે. કદાચ તમે આગાઉ ક્યારેય મચ્છરોના ફુવારા જોયા નહીં હોય. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાય છે. મચ્છરોના આ ત્રાસથી બચવા માટે વેપારી તેમના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. આવું અમે નહીં પરંતુ ખુદ ત્યાંના વેપારી કહી રહ્યા છે.વેપારીઓનાં જણાવ્યા અનુસાર, “સાંજના સમયે અધિકારીઓ માત્ર 10 જ મિનિટ અહીંયા ઊભા રહીને બતાવે. અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ આવે તો તેમને…







