રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાં સન્નાટો! કારણ સાંભળીને તમે પણ ચોકી જશો

B INDIA રાજકોટ : રાજકોટ શહેરનું બેડી માર્કેટિંગ યાર્ડ દિવસભર ધમધમતું રહે છે. પરંતું આ જ માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ સન્નાટો છવાઈ જાય છે. અહીંયા સન્નાટો છવાઈ જવાનું કારણ ચોંકાવનારું છે. બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે. આ આજી નદીમાં 50 જેટલા ઊંચા દેખાતા મચ્છરોના ફુવારા છે. કદાચ તમે આગાઉ ક્યારેય મચ્છરોના ફુવારા જોયા નહીં હોય. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાય છે. મચ્છરોના આ ત્રાસથી બચવા માટે વેપારી તેમના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. આવું અમે નહીં પરંતુ ખુદ ત્યાંના વેપારી કહી રહ્યા છે.વેપારીઓનાં જણાવ્યા અનુસાર, “સાંજના સમયે અધિકારીઓ માત્ર 10 જ મિનિટ અહીંયા ઊભા રહીને બતાવે.

અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ આવે તો તેમને ખબર પડે કે ગાંડીવેલ દૂર કરવી કેટલી જરૂરી છે.”વેપારી જ નહિ અહીંયા કામ કરતા શ્રમિકો પણ કહે છે કે, “તેઓ કોઈ સંજોગોમાં અહીંયા રહી શકે એમ નથી. મચ્છરો ઉપદ્રવ એટલો બધો વ્યાપી ગયો છે કે, તેમના માટે અહીં રહેવું જ મુશ્કેલ છે.”આ માર્કેટિંગ યાર્ડ દિવસભર ભલે ખેડૂતોથી ભરેલું રહેતું હોય પરંતુ અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. વેપારીઓનું કહેવું છે કે, “ખેડૂતો પોતાનો પાક ઉતારીને જતા રહે છે. અહીંયા રહી શકે એવી સ્થિતિ જ નથી હોતી.” તો બીજી તરફ અહીંયા સાંજના સમયે જે પણ દુકાનો ખુલી હતી.

તેઓએ પોતાની દુકાન આગળ કોઈને કોઈ વસ્તુથી ધુમાડો કરવો પડતો હતો. મહત્વનું છે કે, યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવ થવા પાછળનું યાર્ડની બાજુમાં જ આવેલી આજી નદી પર પથરાયેલી ગાંડીવેલ છે. આ વેલને હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મશીન પણ વસાવવામાં આવ્યું છે. પરંતુ તે ધૂળ ખાઈ રહ્યું છે અને માર્કેટિંગ યાર્ડમાં વગર વાંકે વેપારીઓ ધુમાડો ખાઈ રહ્યા છે. નોંધનીય છે કે, મચ્છરોના ત્રાસના કારણે 2020ના શરૂઆતના મહિનામાં આંદોલન પણ થયા હતા. તે સમયે બેડી માર્કેટિંગ યાર્ડ અનેક દિવસો સુધી બંધ પણ રહ્યું હતું.

Related Posts

કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *