પુલવામા હુમલાની સાતમી વરસી, વીર જવાનોને રાષ્ટ્રનું નમન
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ પુલવામા ખાતે 2019માં થયેલા ભયાનક આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. વર્ષ 2019માં આ જ દિવસે થયેલા આતંકી હુમલામાં Central Reserve Police Force (CRPF)ના 40 વીર જવાનો શહીદ થયા હતા. દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર આ સપૂતોને આજે રાષ્ટ્ર ગર્વ અને આંસુભીની આંખોથી યાદ કરી રહ્યું છે. શહાદતની કાળી બપોર અને અડગ રાષ્ટ્રવાદ 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં 40 જવાનોના બલિદાન બાદ ભારતે આતંકવાદ સામે વધુ કડક વલણ અપનાવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. શહીદોના…
પાકિસ્તાનનો આતંકી પ્રેમ ફરી ઉજાગર: ‘કાશ્મીર એકતા દિવસ’ પર PoKમાં UN-પ્રતિબંધિત આતંકીઓએ મંચ શોભાવ્યો
પાકિસ્તાન દ્વારા ઉજવાતા ‘કાશ્મીર એકતા દિવસ’ની આડમાં આતંકવાદને મળતું ખુલ્લું સમર્થન ફરી એકવાર દુનિયા સામે આવી ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં યોજાયેલી સત્તાવાર રેલીઓમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના ટોચના નેતાઓ ખુલ્લેઆમ મંચ પર નજરે પડ્યા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયર જેમાં જે આતંકીઓના નામો નોંધાયેલા છે, તે જ ચહેરાઓ પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી ભાષણો આપતા જોવા મળ્યા છે. જૈશ-એ-મોહમ્મદની ખુલ્લી રેલી ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીએ રાવલકોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સશસ્ત્ર આતંકવાદીઓ તેમજ સંગઠનના વરિષ્ઠ મૌલવીઓએ ભાગ લીધો હતો. મંચ પર મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ અને કમાન્ડરો—મૌલાના અબ્દુલ મતીન, મુફ્તી મસૂદ ઇલ્યાસ અને સૈફુલ્લાહ…








