મકરસંક્રાંતિ 2026: એકાદશી સંયોગમાં ખીચડી કે દહીં-ચૂડા?

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ભક્તોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે મકરસંક્રાંતિ પર એકાદશી તિથિનો સંયોગ સર્જાયો છે. પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને ખીચડી ખાવાની રીત છે, જ્યારે બિહારમાં દહીં-ચૂડા ખાવાની પરંપરા પ્રચલિત છે. જોકે એકાદશી તિથિમાં ચોખા ખાવા મનાઈ હોવાથી લોકોમાં ગૂંચવણ છે કે આ વખતે ખીચડી ક્યારે બનાવવી? એકાદશી તિથિ ક્યારે છે? પંચાંગ અનુસાર, ષટતિલા એકાદશી તિથિ 13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:17 વાગ્યે શરૂ થશે અને 14 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:52 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને માન્ય ગણવામાં આવતી હોવાથી, ષટતિલા એકાદશીનું વ્રત બુધવાર 14 જાન્યુઆરી 2026ના રોજ રહેશે. મકરસંક્રાંતિ ક્યારે છે? જ્યોતિષ ગણતરી મુજબ, 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:07 વાગ્યે સૂર્ય મકર રાશિમાં…

Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ

રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે બરાબર 5:00 વાગ્યાના અરસામાં દ્વાર ખોલતાની સાથે જ મંગળા આરતી કરવામાં આવી. હોળી તહેવારને લઈને આજે મધ્યરાત્રીથી જ ભાવિક ભક્તો મંદિરના દ્વારે આવી પહોંચ્યા હતા. મંગળા આરતીમાં આજરોજ 1 લાખ કરતા વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર મંદિરમો ભક્તોના ધસારો :- ‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના ગુંજથી આખું ડાકોર આજે કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું છે. યાત્રાધામ ડાકોર પંહોચવા રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાંથી દિવસો પહેલા પગપાળા સંઘ નીકળ્યા છે જે આજે હોળી તહેવાર પર ડાકોર પંહોચ્યાં હતાં. ડાકોરથી દૂર ત્રણ કિલોમીટર સુધી…