‘વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અપશબ્દો સ્વીકાર્ય નથી’: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા Gen-Z આંદોલનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અને સરકાર કે કોઈ મુદ્દા સામે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો સંપૂર્ણ લોકતાંત્રિક અધિકાર છે. જોકે, વિરોધના નામે અભદ્ર ભાષા, ગાળાગાળી અથવા કોઈના પરિવારને નિશાન બનાવતી ટિપ્પણીઓ કરવી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને અનુરૂપ નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્ય પ્રદેશના કટની જિલ્લાના પ્રવાસે છે. કટનીના કુઠલા વિસ્તારમાં તેમના શિષ્યો દ્વારા નિર્મિત નવા ‘બાગેશ્વર બાલાજી’ મઠના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના વર્તમાન સામાજિક વાતાવરણ, યુવાનોની ભૂમિકા અને શાંતિપૂર્ણ વિરોધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિરોધ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક વ્યક્તિને…
જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટ સખ્ત: CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહીના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ, બોડી કેમેરાની રેકોર્ડિંગ અને સંબંધિત તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા પણ નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કાર્યવાહી ગેરબંધારણીય ગણાવી અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવવા તેમજ તેમના પર લાઠીચાર્જ કરવો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. વકીલ એન. હરિહરને કોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને…
સોનમ વાંગચુકને વધુ સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, જાણો શું થયું
સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેમને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તબીબોએ જણાવ્યું હતું કે તેમની હાલત હાલ સ્થિર છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની સતત દેખરેખ જરૂરી રહેશે. સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું છે. આ ઉપરાંત લોહી સંબંધિત કેટલાક પરિમાણોમાં પણ અસંતુલન નોંધાયું છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાના કારણે તેમની તબિયત પર અસર પડી હતી. જેને કારણે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સોનમ વાંગચુક હતા ભૂખ…
સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો
લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…
ઈરાનમાં આંતરિક વિદ્રોહ: પોલીસકર્મીએ સળગાવી સર્વોચ્ચ નેતાની તસવીર
ઈરાનમાં આંતરિક વિદ્રોહની ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈરાનની પોલીસની વસ્ત્રમાં સજ્જ એક વ્યક્તિ દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લા અલી ખમેનીની તસવીર સળગાવતો નજરે આવે છે. વિડિયોમાં તે પોલીસકર્મી દીવાલ પર જૂના શાસકની યાદમાં ‘જાવિદ શાહ’ એટલે કે ‘શાહ અમર રહો’ જેવા વિદ્રોહી સૂત્રો પણ લખતો દેખાય છે. આ ઘટના ઈરાનમાં કટ્ટરપંથી શાસન માટે મોટો પડકાર માનવામાં આવી રહી છે અને તેના રાજકીય પ્રભાવ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્રોહી કૃત્યોએ સુરક્ષા એજન્સીઓમાં સજાગતા વધી છે, અને આ મામલે કડક કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો મળ્યા છે. અધિકારીઓ હજુ તે વ્યક્તિની ઓળખ અને ઘટના અંગેની વિગતો એકઠી કરી રહ્યા છે, તેમજ આ વિદ્રોહી કાર્યવાહીને લઈને આગળની…
કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી
ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…
ઓરંગજેબની કબર દુર કરવામાં નહીં આવે તો બાબરીની જેમ કાર સેવા કરીશું, VHP અને બજરંગદળની ચેતવણી
મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા અંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાજ્યમાં આંદોલનની જાહેરાત કરી. હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. VHP-બજરંગ દળે મહારાષ્ટ્ર સરકારને ધમકી આપતા કહ્યું કે જો ઔરંગઝેબની કબર દૂર કરવામાં વિલંબ થશે તો તેઓ બાબરી જેવી ‘કાર સેવા’ કરશે. હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ, ઔરંગઝેબના મકબરા પાસે રાજ્ય અનામત પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના મહારાષ્ટ્ર-ગોવા પ્રદેશના વડા ગોવિંદ શેંડેએ કહ્યું કે કેટલાક લોકો ઔરંગઝેબના વખાણ કરવામાં વ્યસ્ત છે. ઔરંગઝેબે દેશ પર ઘણા અત્યાચાર કર્યા. તેઓએ હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા. તેના પિતા પર ત્રાસ ગુજાર્યો. આવા…
લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ
વિદેશ મંત્રી એસ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન ખાલિસ્તાની તોફાનીઓએ ફરી એકવાર બધી હદો પાર કરી દીધી છે. તેમણે લંડનમાં ચેથમ હાઉસની બહાર ભારે હોબાળો મચાવ્યો. જયશંકરે આ જ ચેથમ હાઉસમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ખાલિસ્તાન સમર્થક વિરોધીઓએ બુધવારે ચેથમ હાઉસની બહાર પ્રદર્શન કર્યું, જ્યાં વિદેશ મંત્રી જયશંકરે ચર્ચામાં ભાગ લીધો હતો. વિરોધીઓ ઇમારતની બહાર એકઠા થયા. તેઓએ ખાલિસ્તાન તરફી ધ્વજ અને સ્પીકર્સ લઈને સૂત્રોચ્ચાર કર્યા. મંગળવારે અગાઉ, યુકેના ગૃહ સચિવ યવેટ કૂપર સાથેની તેમની મુલાકાતમાં, જયશંકરે કહ્યું હતું કે અમે ભારત અને યુકે વચ્ચે પ્રતિભાના પ્રવાહ અને દાણચોરી અને ઉગ્રવાદનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. ‘લંડનમાં ગૃહ સચિવ સાથે સારી મુલાકાત થઈ,’ તેમણે X પર…
રાજસ્થાન વિધાનસભામાં ઇન્દિરા ગાંધી માટે ‘દાદી’ શબ્દનો ઉપયોગ કરાતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 6 ધારાસભ્યો સસ્પેન્ડ
રાજસ્થાન વિધાનસભામાં મંત્રી અવિનાશ ગેહલોતે ઇન્દિરા ગાંધીને ‘દાદી’ કહ્યાનો મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે. કોંગ્રેસે તેને પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું અપમાન ગણાવીને હોબાળો મચાવ્યો અને વેલમાં આવીને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા, ત્યારબાદ કોંગ્રેસના 6 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોંગ્રેસ આના વિરોધમાં પ્રદર્શન કરવાની વાત કરી રહી છે. રાજસ્થાન કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, “ભાજપ સરકારના એક મંત્રી દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનું અપમાન અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરા સહિત 6 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સામે 22 ફેબ્રુઆરીએ તમામ જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. -> “શું છે આખો મામલો? :- હકીકતમાં, આ સમગ્ર હોબાળો રાજસ્થાન વિધાનસભામાં ભાજપ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે થયો છે. વિધાનસભાની…
બાંગ્લાદેશમાં શેંખ હસીના પછી હવે યુનુસ સરકાર સામે વિરોધની આગ, ફરીએવાર ભારે વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર થતી જોવા મળી રહી છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યાને એક વર્ષ પણ પસાર થયું નથી અને વિદ્યાર્થીઓ વર્તમાન સરકાર વિરુદ્ધ બાંગ્લાદેશમાં રસ્તાઓ પર જોવા મळलળી રહ્યા છે. ગત વર્ષે વિદ્યાર્થીઓએ શેખ હસીના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. હવે ફરી એકવાર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ વખતે નિશાને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે સડકો પર ઉતરેલા વિદ્યાર્થીઓ મોહમ્મદ યુનુસની સરકારના કેટલાક નિર્ણયોથી ખુશ નથી. યુનુસ સરકારના આ નિર્ણયોમાં દેશનું નામ બદલવા અને બંધારણ બદલવાની જાહેરાત સામેલ છે. સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા: 31 ડિસેમ્બર, 2024…
















