131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે
પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2026 માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 113 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતગમત જગતમાંથી 9 હસ્તીઓ, કલા ક્ષેત્રે વિશેષ કાર્ય બદલ 44 હસ્તીઓ અને સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સ્થાન ધરાવે છે. આ…
નાસિક એર શો : એન્ટ્રી ફી અંગે ફેલાયેલી અફવાઓ પર IAFની સ્પષ્ટતા, કહ્યું – ‘પ્રવેશ સંપૂર્ણપણે મફત’
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ભારતીય વાયુસેનાની તરફથી ભવ્ય અને રોમાંચક એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાપુર ડેમના ઉપર આકાશમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા કરવામાં આવેલા હવામાંના અદભૂત કરતબોએ હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. નાસિકમાં પ્રથમ વખત આટલા મોટા પાયે એર-શોનું આયોજન થતાં શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આકાશમાં શૌર્ય અને કુશળતાનું પ્રદર્શન એર-શો દરમિયાન વાયુસેનાના વિમાનો દ્વારા કરવામાં આવેલા એરોબેટિક સ્ટન્ટ્સ, યુદ્ધાભ્યાસના દૃશ્યો અને શૌર્ય પ્રદર્શનોએ લોકોને દેશની સુરક્ષા શક્તિનો જીવંત અનુભવ કરાવ્યો. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા લોકો પોતાના પરિવાર સાથે એર-શો જોવા પહોંચ્યા હતા અને દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. એન્ટ્રી ફી અંગે અફવાઓથી સર્જાયો વિવાદ એર-શો બાદ સ્થાનિક સ્તરે એવી…
‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ
સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું શાશ્વત પ્રતીક ગણાવ્યું છે અને જણાવ્યું છે કે આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે. વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. 1026ના આક્રમણની યાદ ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…










