131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે.

 

વર્ષ 2026 માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 113 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે.

આ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતગમત જગતમાંથી 9 હસ્તીઓ, કલા ક્ષેત્રે વિશેષ કાર્ય બદલ 44 હસ્તીઓ અને સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સ્થાન ધરાવે છે. આ પુરસ્કારો ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે:

– પદ્મ વિભૂષણ: અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ

– પદ્મ ભૂષણ: ઉત્તમ સેવા બદલ

– પદ્મશ્રી: કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ

આ વર્ષે પુરસ્કાર વિજેતાઓમાં 19 મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત યાદીમાં 6 વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના વ્યક્તિઓ અને 16 મરણોત્તર પુરસ્કાર વિજેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવે છે, જ્યારે આ પુરસ્કારોનું વિતરણ સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

દેશના વિવિધ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપનાર આ તમામ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાતને વ્યાપક પ્રશંસા મળી રહી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…