મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ…
બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને JDUના 8 મંત્રીઓનો સમાવેશ થાય છે. કુલ 26 મંત્રીઓએ શપથ લીધા, જેમાં એક મુસ્લિમ અને ત્રણ મહિલાઓ શામેલ છે. નીતિશ કુમાર પોતે પહેલા કરતાં ઓછા વિભાગો સંભાળશે: કેબિનેટ સચિવાલય, સામાન્ય વહીવટ, તકેદારી, ચૂંટણી અને અન્ય બધા અનફાળવેલા વિભાગો. 20 વર્ષમાં પ્રથમ વખત નીતિશ કુમારે ગૃહ મંત્રાલય જાળવી નથી રાખ્યું. મુખ્ય મંત્રીઓ અને તેમના વિભાગો ક્રમાંક મંત્રીનું નામ વિભાગ 1 નીતિશ કુમાર સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, તકેદારી, ચૂંટણી, અન્ય અનફાળવેલા વિભાગો 2 સમ્રાટ ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) ગૃહ વિભાગ 3 વિજય કુમાર સિંહા (નાયબ મુખ્યમંત્રી) મહેસૂલ, જમીન સુધારણા,…
8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA,…









