અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત ઝોન માટે મયુર પાટીલની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિમણૂક થતાં યોજના ટૂંક સમયમાં અમલમાં આવવાની સંભાવના વધુ સ્પષ્ટ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન-૮ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન હજુ બાકી છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આગામી એક મહિનામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી શકે છે. યોજનાનુસાર નવા ઝોનમાં પાંચથી છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થશે, જે હાલના ઝોન-૫ અને ઝોન-૬માંથી પુનર્ગોઠવાશે. સાથે જ રામોલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાનો પ્રસ્તાવ પણ તૈયાર થયો…

દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી

દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ: – PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી – PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી – PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી – PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા – PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી – PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી – PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી – PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા – PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી – PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં…

અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી પોલીસ કસ્ટડીમાં નહીં લેવામાં આવે, જાણો આખો મામલો

કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ ગૃહમંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. BNSSની કલમ 303 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ દેશની કોઈ પણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈને આગામી 1 વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકશે નહીં. હવે જો કોઈ એજન્સીને તેની પૂછપરછ કરવાની હોય, તો તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરવાની છૂટ રહેશે. ગૃહમંત્રાલયે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જેલ સુરક્ષા, અને કાનૂન-વ્યવસ્થા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને લીધો છે. આ જ પ્રકારનો આદેશ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ છે, જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. BNSS ની કલમ 303 શું કહે છે? BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ 303 અનુસાર, ગૃહમંત્રાલય પાસે અધિકાર છે કે તે કોઈ પણ…

અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં મહત્ત્વના ફેરફાર, 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. નિર્ણય અનુસાર, જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ પરિવર્તનનો મુખ્ય હેતુ પોલીસ બેડાની કાર્યક્ષમતા વધારવો અને જિલ્લા પોલીસ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો છે. પોલીસ અધિક્ષક દ્વારા જારી કરાયેલા આ મોટા પાયાના બદલીના આદેશો હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનો અને વિભાગોમાં કર્મચારીઓના હલચાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિશિષ્ટ માહિતી પ્રમાણે, આ બદલીઓ વહીવટી અને કામગીરીના આધારે કરવામાં આવી છે, જેથી પોલીસ સ્ટેશનોમાં ન્યાયસંગત વહિવટ અને કામગીરીમાં ઝડપ લાવી શકાય. અધિકારીઓ અને સ્ટાફને નવી ફરજ સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે, જેથી પોલીસ કામગીરીમાં કોઈ અવરોધ ન થાય. અરવલ્લી જિલ્લા પોલીસ…