EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક…

લંડન સ્થિત આઝમગઢના મૌલવી સામે EDની મોટી કાર્યવાહી, પાકિસ્તાન કનેક્શન…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યુકેમાં રહેતા આઝમગઢના ઇસ્લામિક ઉપદેશક મૌલાના શમસુલ હુદા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ મૌલાના વિરુદ્ધ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ અનુસાર, શમસુલ હુદા ખાન પર કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક શિક્ષણની આડમાં ગેરકાયદેસર ભંડોળ મેળવવાના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. મૌલાના શમસુલ હુદા ખાનને 1984માં સરકારી સહાયિત મદરેસામાં સહાયક શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2013માં બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી પણ, તેમણે ભારતમાં રહેતા ન હતા કે ત્યાં શિક્ષણ આપતા ન હતા, તેમ છતાં 2017 સુધી ભારત તરફથી પગાર મેળવ્યો…

‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ

‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી,…

ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 21 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મેસર્સ ચોથા બ્લોક કન્સલ્ટન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સહયોગીઓ સામે કરવામાં આવી હતી. નકલી ક્રિપ્ટો રોકાણ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડી EDને આ કેસની માહિતી કર્ણાટક પોલીસ દ્વારા નોંધાયેલી FIR અને શેર કરાયેલા ઇનપુટ્સ પરથી મળી હતી. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ પ્લેટફોર્મ તૈયાર કરીને તેને વાસ્તવિક અને વિશ્વસનીય બતાવ્યું હતું. આ પ્લેટફોર્મ પર રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી.…

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ જારી કરી અને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. ચૈતન્ય બઘેલ તરફથી કપિલ સિબ્બલ અને હરિહરનની દલીલ સુપ્રીમ કોર્ટમાં ચૈતન્ય બઘેલની વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એન. હરિહરન હાજર રહ્યા હતા. બંનેએ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયા અને કાયદાકીય ધોરણો પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કપિલ સિબ્બલે દલીલ કરી કે “EDએ ચૈતન્યને *‘અસહકાર’*ના આધારે ધરપકડ કરી છે, પરંતુ ક્યારેય નોટિસ કે સમન્સ મોકલવામાં આવ્યા નહોતા. નોટિસ આપ્યા વિના, માત્ર અસહકારના…