J&K: વિધાનસભામાં ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં થયા ભાવુક, જાણો શું કહ્યું

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત, આ હુમલાને કારણે તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું કે કોઈ પણ કાશ્મીરી આતંકવાદી હુમલાનું સમર્થન કરી રહ્યો નથી. પહેલી વાર કાશ્મીરના લોકો એક થયા છે. સીએમ અબ્દુલ્લાએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ કાશ્મીરની મસ્જિદોમાં મૌન પાળવામાં આવ્યું હતું. આ કાશ્મીરમાં આતંકવાદના અંતની શરૂઆત છે. પહેલગામ હુમલામાં લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. બાળકોએ તેમના પિતાને લોહીથી લથપથ જોયા છે. માફી માંગવા માટે શબ્દો નથી :સીએમ અબ્દુલ્લા સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ‘આ ઘટનાથી સમગ્ર દેશ પ્રભાવિત થયો છે.’ આપણે પહેલા પણ આવા ઘણા હુમલા જોયા છે. પહેલગામના બૈસરનમાં 21 વર્ષ પછી આટલો મોટો હુમલો થયો…