મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના: ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 11નાં મોત
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંઢણા પાસે અર્દલા ગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની છે. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જેમાં 8 યુવતીઓનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં 30થી 35 લોકો તળાવમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કેમ બની દુર્ઘટના? પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ગા વિસર્જન માટે ગામમાંથી લોકો ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા તળાવ તરફ જઈ રહ્યા હતા. પંઢણા નજીકના અર્દલા ગામે તળાવ નજીક કામચલાઉ પુલ પર ટ્રેક્ટર ટ્રોલી પાર્ક કરવામાં આવી હતી. તે દરમિયાન ટ્રોલીનું બેલેન્સ બગડતાં આખી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી. ટ્રોલીમાં લગભગ 30થી વધુ લોકો સવાર હતા. પ્રથમ તપાસ મુજબ, ટ્રોલીમાં લગાવવામાં આવેલી જાળીઓના કારણે લોકો બહાર નીકળી શક્યા નહીં. જે લોકો તરતા…







