મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા વિસર્જન દરમિયાન ભયાનક દુર્ઘટના: ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંઢણા પાસે અર્દલા ગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની છે. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જેમાં 8 યુવતીઓનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં 30થી 35 લોકો તળાવમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

કેમ બની દુર્ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ગા વિસર્જન માટે ગામમાંથી લોકો ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા તળાવ તરફ જઈ રહ્યા હતા. પંઢણા નજીકના અર્દલા ગામે તળાવ નજીક કામચલાઉ પુલ પર ટ્રેક્ટર ટ્રોલી પાર્ક કરવામાં આવી હતી. તે દરમિયાન ટ્રોલીનું બેલેન્સ બગડતાં આખી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી. ટ્રોલીમાં લગભગ 30થી વધુ લોકો સવાર હતા.

પ્રથમ તપાસ મુજબ, ટ્રોલીમાં લગાવવામાં આવેલી જાળીઓના કારણે લોકો બહાર નીકળી શક્યા નહીં. જે લોકો તરતા આવડતા હતા તેમણે તરવાથી પોતાનું જીવ બચાવ્યું, પણ મોટા ભાગના લોકો તળાવના ઊંડા પાણીમાં ફસાઈ ગયા.

બચાવ કામગીરી શરૂ
ઘટનાના થતાની સાથે જ સ્થાનિક લોકો અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચ્યા. JCB અને એમ્બ્યુલન્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. સાંજે 8 વાગ્યા સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા હતા. સ્થળ પર દસથી વધુ એમ્બ્યુલન્સ પહોંચાડી શકાયાં હતા.

અધિકારીઓની હાજરી
જિલ્લાના કલેક્ટર ઋષભ ગુપ્તા અને પોલીસ અધીક્ષક મનોજ કુમાર રાય ઘટના સ્થળે પહોંચી રહ્યા હતા. બચાવ માટે એનડીઆરએફની ટીમે પણ કામગીરી શરૂ કરી હતી. બચાવેલા લોકોને પંઢના હોસ્પિટલ અને ખંડવા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

એક પ્રત્યક્ષદર્શીનું વર્ણન
પ્રદિપ જગધનેએ જણાવ્યું કે, “ઘટનાસ્થળે લગભગ 50 ફૂટ ઊંડું પાણી છે. અમે 9 લોકોને બચાવ્યા છે. બચાવેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા છે.”

Related Posts

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *