UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ
UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…
NTAના 47 અધિકારીઓ બરતરફ: શિક્ષણ મંત્રાલયની મોટી કાર્યવાહી
દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મોટું વહીવટી પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, માત્ર વહીવટી કાર્યવાહી સુધી જ મામલો સીમિત રાખવામાં આવ્યો નથી. બરતરફ કરાયેલા કેટલાક અધિકારીઓ સામે કાનૂની તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે. પરીક્ષાઓના આયોજનમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક સંદેશ જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં…
NEET પેપર લીક વિવાદ પર સરકારનો સ્પષ્ટ સંદેશ: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે માત્ર મંત્રી બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવી વધુ જરૂરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું ધ્યાન હાલમાં NEET સહિતની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાના પ્રયાસો પર છે. સૂત્રોએ જણાવ્યું કે જનતાએ સરકારને જવાબદારી સોંપી છે અને સરકાર આ જવાબદારી નિભાવતા પરીક્ષા પ્રણાલીમાં જરૂરી સુધારા કરશે. સાથે જ સરકાર અને શાસક પક્ષ બંને ધર્મેન્દ્ર પ્રધાનના સમર્થનમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. રાજીનામું નહીં,…









