નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર
બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપવા માંગે છે. આ જાહેરાત બાદ બિહારના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. લોકોનો વિશ્વાસ અને સહકાર માટે વ્યક્ત કર્યો આભાર નીતિશ કુમારે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી બિહારના લોકો તેમને વિશ્વાસ અને સમર્થન આપી રહ્યા છે. લોકોના આ વિશ્વાસના કારણે જ તેમને રાજ્યની સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન બિહાર વિકાસના નવા માર્ગે આગળ વધ્યું છે અને તેમાં લોકોના સહકારનો મહત્વનો ફાળો રહ્યો છે. સંસદના બંને ગૃહોમાં સેવા કરવાની ઈચ્છા મુખ્યમંત્રીએ…







