રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર નીતિન ગડકરીના કાર્યાલયનો ખુલાસો, કહ્યું- નિવેદનનો રાજકારણ સાથે….

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના તાજેતરના એક નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં શરૂ થયેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નાગપુરના એક કાર્યક્રમમાં ગડકરીએ નવી પેઢીને વધુ જવાબદારી સોંપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું ગડકરી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપી રહ્યા છે? જોકે, હવે તેમના કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે ગડકરીનું નિવેદન રાજકારણ અંગે નહોતું, પરંતુ લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટના કામકાજ અને ભવિષ્યના નેતૃત્વ અંગે હતું. ‘નવી પેઢીને તક આપવી જોઈએ’ નિવેદનથી મચી હતી હલચલ નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત કામ કરી રહ્યા છે અને હવે પહેલાં જેટલું કામ કરી શકતા નથી. તેમણે નવી પેઢીને વધુ…

નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર

દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે. ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પરિવહન ક્ષેત્રની જવાબદારી ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક…

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના આરોપો પર નીતિન ગડકરીની ખુલ્લાસો, કહ્યું- “હું પેઇડ ન્યૂઝનો ભોગ બન્યો છું”

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છેલ્લાં કેટલાક દિવસોથી તેમના વિરુદ્ધ ચાલતી ટીકા અને આરોપો સામે પોતાનું મૌન તોડ્યું છે. ઈથેનોલ ભેળવણી નીતિએ કેટલાક નફાકારક સમૂહોને નારાજ કર્યા હોવાના દાવા સાથે ગડકરીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ “પેઇડ ન્યૂઝ કેમ્પેઈન” ચલાવવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? હાલના સમયમાં ભારત સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ (E20) ભેળવવાની યોજના શરૂ કરી છે. આ પગલું ઇંધણ આયાત ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતને ઉર્જા ઉત્પાદક બનાવવાનો પ્રયાસ છે. પરંતુ કેટલાક અહેવાલો અને રાજકીય પક્ષોએ આ પગલાં પાછળ “ગડકરીના પરિવારના નફાકારક હિતો” હોવાનો આરોપ લગાવ્યો છે. ગડકરીનો સ્પષ્ટ જવાબ “લોકો ફળ આપતા ઝાડ પર પથ્થર ફેંકે છે. હું આવા તૂંછી આરોપોને અવગણું છું. મારી નીતિઓ આયાત લોબીની દશકોથી ચાલી…