પશ્ચિમ બંગાળમાં નોંધાયા નિપાહ વાયરસના બે કેસ, નડ્ડાએ કરી મમતા બેનર્જી સાથે વાત
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે કેસ નોંધાયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાની એક હોસ્પિટલની બે નર્સો નિપાહ વાયરસથી સંક્રમિત મળી આવી છે. નિપાહ વાયરસથી એક પુરુષ અને મહિલા સંક્રમિત થયા છે . નિપાહ વાયરસના કેસ નોંધાયા બાદ પશ્ચિમ બંગાળમાં આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. તેમણે રાજ્યમાં બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને નર્સ બારાસતની એક જ હોસ્પિટલમાં કામ કરે છે. તેમને નિપાહ વાયરસથી ચેપ લાગ્યો હોવાની શંકા છે. બંને નર્સોના નમૂનાઓ કલ્યાણી એઈમ્સમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને પ્રાથમિક અહેવાલો નિપાહ વાયરસથી ચેપ હોવાનું સૂચવે છે.” તેમણે…







