સુરેન્દ્રનગરમાં ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ, જાણો વિગત

સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળા ગામ નજીકથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી જતા અને માળખું નબળું થવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલની દીવાલ તૂટી પડવાની ભીતિ ટોકરાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલનો એક ભાગ અત્યંત નબળો પડી ગયો છે. દીવાલમાં સ્પષ્ટ તિરાડો દેખાઈ રહી છે અને આખું માળખું જર્જરિત અવસ્થામાં છે. જો તાત્કાલિક સમારકામ નહીં થાય તો કેનાલની દીવાલ કોઈપણ સમયે તૂટી શકે છે. જો આવું બનશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફાટી નીકળશે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થશે અને ખેતરો બેટ (Flood Zone)માં ફેરવાઈ જશે. આ ઉપરાંત આસપાસની…