ન્યૂઝક્લિક સામે ED ની કાર્યવાહી, ફટકારી 184 કરોડની પેનલ્ટી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ન્યૂઝક્લિક અને તેના એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ 184 કરોડ રૂપિયાની નોટિસ જારી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘનને લઈને કરવામાં આવી છે. આદેશ મુજબ, ન્યૂઝક્લિક સ્ટૂડિયો પ્રાઇવેટ લિમિટેડ પર 120 કરોડ અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થ પર 64 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની આ કાર્યવાહી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ફંડ સંબંધિત ખોટી માહિતી આપી હોવા અને સેવાઓ કે નિકાસની ખોટી જાહેરાત કરવા બદલ કરવામાં આવી છે. ન્યૂઝક્લિકે હજુ સુધી આ મામલે પ્રતિક્રિયા આપેલી નથી. ED એ આ કેસમાં પહેલું પગલું સપ્ટેમ્બર 2021માં લીધું હતું. તે સમયે, ન્યૂઝક્લિકના ન્યૂ દિલ્હી ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા અને મુખ્ય સંપાદક રાકેશ કાયસ્થ…

જમ્મુ અને કાશ્મીરમાં ડિજિટલ હવાલા રેકેટનો પર્દાફાશ, 8,000 એકાઉન્ટ ફ્રીઝ કરાયા

સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં એક વ્યાપક ડિજિટલ હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 8,000 થી વધુ બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સાઇબર છેતરપિંડી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે થતો હોવાનું શંકા છે. મ્યુલ એકાઉન્ટ અને ખાતાધારકો મ્યુલ એકાઉન્ટ એ સામાન્ય લોકોના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટ્સ છે, જેમનો ઉપયોગ છેતરપિંડી કરનારાઓ પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે. ઘણા ખાતા શેલ કંપનીઓના નામે ખોલવામાં આવ્યા છે અને દરરોજ ₹40 લાખ સુધીના વ્યવહાર કરવા માટે વપરાય છે. ખાતાધારકો સીધા છેતરપિંડી કરતા ન હોવા છતાં, તેઓ મની લauન્ડરિંગમાં સામેલ ગણાય છે, કેમ કે આ એકાઉન્ટ્સ નેટવર્ક માટે મહત્વપૂર્ણ છે. “મ્યુલર્સ” વિશે મ્યુલર્સ મધ્યસ્થીઓ છે, જે આ ખાતાઓને ભાડે રાખે છે અને વ્યવહાર સંચાલિત કરે છે. તેઓ છેતરપિંડી…

ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ, ચીનમાં ધરપકડ

અમેરિકા દ્વારા ગંભીર છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ સામે ચીનના ઉદ્યોગપતિ ચેન ઝીને કંબોડિયામાં અટકાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ચીનમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. ચીનના કઠોર કાયદાકીય પગલાં અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ચેન ઝીની ધરપકડને વિશ્વવ્યાપી ધ્યાન મળ્યું છે. ચેન ઝીની અટકાયત: ચીનમાં જન્મેલા અબજોપતિ ઉદ્યોગપતિ ચેન ઝીને કંબોડિયામાં અટકાવ્યા બાદ ચીનને પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. કંબોડિયન સરકારે આ પ્રત્યાર્પણાની પુષ્ટિ કરી છે. યુએસ પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, ચેન ઝીએ કંબોડિયાથી કરોડો ડોલરનું ઓનલાઈન કૌભાંડ નેટવર્ક ચલાવ્યું હતું. સાથે જ, ચેન ઝી પર ફરજિયાત મજૂરી સુવિધાઓ ચલાવવાનો આરોપ પણ છે. ચીનમાં ધાર્મિક તણાવ: ચીનમાં ધાર્મિક સ્વતંત્રતા અને પ્રોટેસ્ટન્ટ ચર્ચ સામે કડક પગલાં વધી રહ્યાં છે. અઠવાડિયે, અર્લી રેઈન કોવેનન્ટ ચર્ચના છ સભ્યો, જેમાં વર્તમાન નેતા લી યિંગકિયાંગનો સમાવેશ…

જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કરાયો સસ્પેન્ડ

સુરેન્દ્રનગરના ચર્ચિત 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ કેસમાં હવે સૌથી મોટી વહીવટી કાર્યવાહી સામે આવી છે. કેસમાં સંડોવાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ બાદ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો છે. મળતી માહિતી મુજબ, EDએ મની લોન્ડરિંગ સહિતના ગંભીર આરોપો હેઠળ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી હાલ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ જમીન કૌભાંડમાં સરકારી જમીનના ગેરકાયદેસર હસ્તાંતરણ, ખોટી ફાઇલો અને ખોટા દસ્તાવેજો દ્વારા મોટા પાયે નાણાકીય લાભ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ મુજબ આ સમગ્ર કૌભાંડની રકમ અંદાજે 1500 કરોડ રૂપિયા જેટલી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી આ…

શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો? EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત…

‘ડિજિટલ અરેસ્ટ’ કેસમાં EDએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં 11 સ્થળોએ પાડ્યા દરોડા, મહિલાની કરાઈ ધરપકડ

‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર છેતરપિંડીના મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની જલંધર ઝોનલ ટીમે 22 ડિસેમ્બર, 2025ના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. PMLA હેઠળ કાર્યવાહી ED દ્વારા આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની તપાસ લુધિયાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. લુધિયાણાના ઉદ્યોગપતિ સાથે ₹7 કરોડની છેતરપિંડી EDના જણાવ્યા અનુસાર, આ કેસમાં લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસ્વાલ પીડિત બન્યા હતા. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી,…

ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 21 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મેસર્સ ચોથા બ્લોક કન્સલ્ટન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સહયોગીઓ સામે કરવામાં આવી હતી. નકલી ક્રિપ્ટો રોકાણ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડી EDને આ કેસની માહિતી કર્ણાટક પોલીસ દ્વારા નોંધાયેલી FIR અને શેર કરાયેલા ઇનપુટ્સ પરથી મળી હતી. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ પ્લેટફોર્મ તૈયાર કરીને તેને વાસ્તવિક અને વિશ્વસનીય બતાવ્યું હતું. આ પ્લેટફોર્મ પર રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી.…

104.15 કરોડની મની લોન્ડરિંગ કૌભાંડ: EDએ PMLA સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

દેશભરમાં ફ્રોડ કરીને રૂ. 104.15 કરોડની મની લોન્ડરિંગની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદની PMLA સ્પેશિયલ કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. અરોપીઓ અને માધ્યમ ફરિયાદમાં મકબુલ અબ્દુલ રહેમાન, કાશિફ મકબુલ, મહેશ દેસાઈ, ઓમ પંડ્યા અને મિતેશ ઠક્કર સહિતના નામો સામેલ છે. તપાસ મુજબ, આરોપીઓએ નકલી સરકારી નોટિસો અને ફોન કોલ્સ દ્વારા લોકોને ડરાવ્યા અને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી. સિસ્ટમના ભાસ સાથે છેતરપીંડી ED મુજબ આરોપીઓ નકલી CBI, TRAI અને ED નોટિસો મોકલી લોકોમાં ડર પેદા કરતા હતા. પીડિત પાસેથી વસુલેલી રકમના ફેક ચલણ અને રસીદ પણ ઈશ્યૂ કરતા હતા. કેટલાક આરોપીઓએ નકલી પોલીસ સ્ટેશન બનાવી વીડિયો કોલ મારફતે લોકોને ભયભીત કરી રકમ પડાવવાનું કામ કર્યું. કૌભાંડનો પર્દાફાશ આ કૌભાંડનો પ્રથમ પર્દાફાશ…

EDની મોટી કાર્યવાહી: પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 44 સ્થળોએ દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત

પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને રાજ્યોમાં EDએ કુલ 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 14 કરોડથી વધુ કિંમતના રોકડ અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. દરોડા દરમિયાન, કોલસા સિન્ડિકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પાસેથી અસંખ્ય મિલકતના દસ્તાવેજો, જમીન ખરીદી અને વેચાણ કરાર, ડિજિટલ ઉપકરણો, કંપની ખાતાવહી અને અન્ય પુરાવા મળી આવ્યા. EDની તપાસ પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે, જેમાં બંને રાજ્યો વચ્ચે ગેરકાયદેસર કોલસા સપ્લાય નેટવર્ક કાર્યરત હોવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતામાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. અહીં નરેન્દ્ર ખારકા, કૃષ્ણ મુરારી કાયલ, યુધિષ્ઠિર ઘોષ, રાજ કિશોર યાદવ, લોકેશ સિંહ, ચિન્મય મંડલ,…

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય, કેન્દ્ર અને EDનો જવાબ માંગ્યો

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ચૈતન્યની ધરપકડ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ જારી કરી અને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. ચૈતન્ય બઘેલ તરફથી કપિલ સિબ્બલ અને હરિહરનની દલીલ સુપ્રીમ કોર્ટમાં ચૈતન્ય બઘેલની વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એન. હરિહરન હાજર રહ્યા હતા. બંનેએ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયા અને કાયદાકીય ધોરણો પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કપિલ સિબ્બલે દલીલ કરી કે “EDએ ચૈતન્યને *‘અસહકાર’*ના આધારે ધરપકડ કરી છે, પરંતુ ક્યારેય નોટિસ કે સમન્સ મોકલવામાં આવ્યા નહોતા. નોટિસ આપ્યા વિના, માત્ર અસહકારના…