પુલવામા હુમલાની વર્ષગાંઠ પર આસામમાં PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે દેશને ફક્ત બીજી ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ મળી નથી; તે એ પણ સાબિત કરે છે કે નવું ભારત તેની સુરક્ષા માટે દરેક રીતે તૈયારી કરી રહ્યું છે. આજનું ભારત ફક્ત તેની સરહદોને મજબૂત બનાવી રહ્યું નથી પરંતુ દેશના દુશ્મનોને તેમના ઘરોમાં ઘૂસીને જવાબ પણ આપી રહ્યું છે. આજે પુલવામા હુમલાની વર્ષગાંઠ છે. હું ભારત માતાના બહાદુર સપૂતોને સલામ કરું છું જેમણે આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો. આ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદીઓને જે રીતે સજા આપી તે આખી દુનિયાએ જોઈ છે, અને કેટલાક લોકો હજુ પણ ધ્રૂજી રહ્યા છે. તમે ઓપરેશન સિંદૂરમાં ભારતની શક્તિ પણ જોઈ છે.” પીએમ મોદીએ કહ્યું, “આજની કોંગ્રેસ દરેક…
ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’ ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે…
SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. અને જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે :- મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી 3 કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત…
વડાપ્રધાન મોદી ફરી વતન પધારશે, જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 અને 3 માર્ચ ગુજરાત આવશે. -> 2 માર્ચે સાસણ ગીર પહોંચશે વડાપ્રધાન :- વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. -> વડાપ્રધાન ફરી 7 અને 8 માર્ચે આવશે ગુજરાત :- મળતી…










