Microsoftના CEO સત્યા નડેલા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, AI કોન્ફરન્સમાં આપશે હાજરી

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા પ્રભાવ અંગે ચર્ચા કરવા અને ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. એક મીડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નડેલા ડિસેમ્બરમાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગના નેતાઓ અને કંપનીના કર્મચારીઓને મળશે. નડેલા તેમની મુલાકાત દરમિયાન AI-સંબંધિત અનેક મહત્વપૂર્ણ પરિષદોને સંબોધિત કરશે. કંપનીએ હજુ સુધી તેમની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ મુલાકાત માઇક્રોસોફ્ટ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-અમેરિકા સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. બંને દેશો તાજેતરના મતભેદોને બાજુ પર રાખીને ટેકનોલોજી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દરમિયાન, ભારત સરકાર “મેક ઇન…