ઢાકામાં હિન્દુઓ પર થયેલા હત્યા અને અત્યાચાર અંગે ભારતનો કડક સંદેશ, ભારતીય વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હત્યા અને અત્યાચાર પર ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશ સરકાર તેની જવાબદારીથી છટકી શકે નહીં. હિન્દુ યુવાનોની હત્યા અને ઘણા હિન્દુ પરિવારોના ઘર સળગાવવાના કેસમાં તેણે કાર્યવાહી કરવી પડશે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સરકારના શાસનકાળમાં, લઘુમતીઓ સામે હિંસા, આગચંપી અને અન્ય અત્યાચારોની 2,900 ઘટનાઓ બની છે. અમે બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ પ્રચારિત ખોટા અહેવાલોને વારંવાર નકારી કાઢ્યા છે. વર્તમાન બાંગ્લાદેશ સરકાર ત્યાં ચાલી રહેલી હિંસા અને કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર છે. અમે લઘુમતીઓની સલામતી અંગે સતર્ક છીએ અને તેનું…







