અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત
અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લા હેઠળ આવતાં 21 વિધાનસભા ક્ષેત્રોમાં BLO (Booth Level Officer) દ્વારા ઘર-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ અને ચકાસણીનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે એકપણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી છૂટે નહીં અને દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી રહે. સ્થળાંતર કરેલા મતદારો માટે ખાસ કેમ્પ શહેરના સાબરમતી (55), નારણપુરા (45) અને જમાલપુર-ખાડિયા (52) વિધાનસભા ક્ષેત્રોમાં રીડેવલપમેન્ટ અને પુનર્વિકાસના કારણે સ્થળાંતર કરનારા મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાગરિકોને એન્યુમરેશન ફોર્મ સરળતાથી મળી રહે અને તે ફોર્મ…







