આખરે શાન ઠેકાણે આવી! મોહસિન નકવીનો યુ-ટર્ન, એશિયા કપ 2025ની ટ્રોફી પરત સોંપી

ભલે એશિયા કપ 2025ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયા એ પોતાના જબરદસ્ત પ્રદર્શન દ્વારા પાકિસ્તાનને હરાવીને નવમી વાર ખિતાબ જીત્યો હોય, પરંતુ જીત પછીનો સૌથી મોટો વિવાદ ટ્રોફી વિતરણને લઈને થયો હતો. ભારતે ટ્રોફી જીતવા છતાં પણ ચાર દિવસ સુધી એ તેમને સોંપવામાં નહોતી આવી. હવે આખરે આ વિવાદનો અંત આવ્યો છે. ભારતની વિજયી ટીમ, પણ ટ્રોફી વિના! 28 સપ્ટેમ્બર 2025ના રોજ, દુબઈમાં રમાયેલ ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમો એશિયા કપ ટાઇટલ જીત્યો હતો. સામાન્ય રીતે દરેક ટૂર્નામેન્ટ પછી જીતેલી ટીમને મેદાન પર ટ્રોફી સોંપવામાં આવે છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. વિજય પછી પણ ટીમ ઈન્ડિયાને ટ્રોફી આપવામાં આવી નહોતી, જેના કારણે ક્રિકેટવિશ્વમાં આકરી ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ હતી. ચાર દિવસ ચાલેલો નાટકઃ…