દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવાયો, મહારાણા પ્રતાપની તસ્વીર ચોંટાડી

દિલ્હીના અકબર રોડના સાઇનબોર્ડ પર અજાણ્યા યુવકે કાળી શાહી લગાવી દીધી અને ત્યાં મહારાણા પ્રતાપની તસવીર ચોંટાડી દીધી. તેમનો આરોપ છે કે કાશ્મીરી ગેટ ISBT ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે એક પણ આક્રમણકારનું નામ પણ નહીં છોડીએ; અમે તેમનો નાશ કરીશું. આ પણ વાચો :- અમેરિકાએ યમનની રાજધાની પર કરી એરસ્ટ્રાઇક, 9 લોકો ઇજાગ્રસ્ત, અનેક ઇમારતો-મકાનોને નુકસાન અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવતી વખતે તેમણે એક વીડિયો બનાવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ભારત મહારાણા પ્રતાપનું અપમાન સહન નહીં કરે.’ ISBT ખાતે મહારાણા પ્રતાપની અષ્ટધાતુ પ્રતિમા સાથે જે રીતે છેડછાડ કરવામાં આવી છે. હું દિલ્હી પોલીસને કહેવા માંગુ છું કે અમને મૂર્ખ ન બનાવો. તેઓ અમને કહી…