અમરેલી: ધારીમાં પકિસ્તાની કનેશન ધરાવતા મૌલાનાનું મદરેસા પણ હતું ગેરકાયદે ! ફર્યું તંત્રનું બુલડોઝર
પહેલગામ આતંકી હુમલા બાદ પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ મામલે ધારી પોલીસ દ્વારા ગત તા.1 ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહીશ મહોમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ આજે મદરેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હિમખીમડીપરા ખાતે આવેલા પ્લોટ નંબર ૬૬, વર્ષ 1990 માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો, જે પ્લોટ ભીખુભાઈએ મદરેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં આ તે મિલ્કતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો ન હોય અને મદરેસા તરીકે થતો હોય જેથી તે પ્લોટ…







