અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…

બોગસ પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની જેલ: ચેન્નાઈ CBI કોર્ટે ફટકાર્યો દંડ

બોગસ પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન તરીકે ઓળખાતા છોટા રાજનને ચેન્નાઈની CBI કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર રૂ. 55 હજારનો દંડ પણ લગાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અગાઉના એક ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બોગસ પાસપોર્ટ કેસમાં આવેલી નવી સજાને તેની સામેના કાનૂની મામલાઓમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખોટી ઓળખના આધારે પાસપોર્ટ મેળવવાનો આરોપ CBI તપાસમાં ખુલાસો થયો હતો કે છોટા રાજને ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાનું…

બાંગ્લાદેશી આર્મી ચીફે કહ્યું રાજકીય પક્ષો મતભેદો દુર કરે,નહીંતર દેશનું સાર્વભૌમત્વ જોખમમાં

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને રાજકીય અસ્થિરતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો રાજકીય પક્ષો પોતાના મતભેદો દૂર નહીં કરે અને સાથે મળીને કામ નહીં કરે તો દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જોખમમાં મુકાઈ શકે છે. જનરલ ઝમાને તમામ રાજકીય પક્ષોને પોતાના મતભેદોને બાજુ પર રાખીને દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી. તેમણે એ પણ સંકેત આપ્યો છે કે સેનાની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કર્યા પછી બેરેકમાં પાછા ફરવાની છે. -> સેના પ્રમુખે આ વાત કહી :- બાંગ્લાદેશના આર્મી ચીફે એક લશ્કરી સમારોહમાં કહ્યું, “આજે આપણે જે અરાજકતા જોઈ રહ્યા છીએ તે કોઈક રીતે આપણા પોતાના…