શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા, જાણો હવે કેવી છે તેમની તબિયત ?

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવા માટે પાછળની તરફ દોડતી વખતે શ્રેયસને પાંસળીમાં ઈજા થઈ હતી. શ્રેયસ ઐયરને ICU માં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ BCCI એ પુષ્ટિ કરી છે કે, શ્રેયસ ઐયર હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે. શ્રેયસ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવથી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેને ટૂંક સમયમાં ICUમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઇજાગ્રસર…

ટ્રોફી વિવાદમાં નકવી સામે ICCને ફરિયાદ કરશે BCCI, જાણો શું કરી જાહેરાત

એશિયા કપ 2025 ફાઇનલ જીતવા છતાં, ભારતીય ટીમ ટ્રોફી ન મળી. કારણ કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે અને તેમના ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા છે. ભારતે આ વાતની જાહેરાત ખૂબ પહેલા કરી હતી, પરંતુ તેમ છતાં, નકવી ટ્રોફી પ્રસ્તુતિ સમારોહ દરમિયાન સ્ટેજ પરથી ઉતર્યા ન હતા. હવે, BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું છે કે ભારતીય ટીમની કાર્યવાહી સંપૂર્ણપણે સાચી હતી અને બોર્ડ નવેમ્બરમાં યોજાનારી ICC બેઠકમાં આ મામલે સખત વિરોધ નોંધાવશે. સૈકિયાએ કહ્યું, “જ્યાં સુધી ટ્રોફીનો સવાલ છે, ભારત તે એવી વ્યક્તિ પાસેથી સ્વીકારી શકે નહીં જે આપણા દેશ સામે…