PoJKમાં પાકિસ્તાનની બર્બરતા પર ભારતનો કડક પ્રહાર, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાનું પુનરોચ્ચાર

પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને ભારતે પાકિસ્તાન સામે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે PoJKમાં નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોની ભાવનાના વિરુદ્ધ છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કરતાં ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. PoJKમાં વિરોધ પ્રદર્શન અને દમન પર ચિંતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં લોકો મોંઘવારી, બેરોજગારી, વીજળી, ખાદ્યસામગ્રીની અછત અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ લોકોની ફરિયાદો સાંભળવાના બદલે પાકિસ્તાની તંત્ર બળપ્રયોગ અને દમનની નીતિ અપનાવી રહ્યું છે. ભારતના જણાવ્યા અનુસાર, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નાગરિકો સામે…

સોનમ વાંગચુકને વધુ સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, જાણો શું થયું

સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેમને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તબીબોએ જણાવ્યું હતું કે તેમની હાલત હાલ સ્થિર છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની સતત દેખરેખ જરૂરી રહેશે. સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું છે. આ ઉપરાંત લોહી સંબંધિત કેટલાક પરિમાણોમાં પણ અસંતુલન નોંધાયું છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાના કારણે તેમની તબિયત પર અસર પડી હતી. જેને કારણે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સોનમ વાંગચુક હતા ભૂખ…

સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો

લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…

લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ કરીને તે સમયે જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. જુલાઈ 2025માં કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બ્રિગેડિયર બીડી મિશ્રાની જગ્યાએ આવ્યા હતા, જ્યારે બીડી મિશ્રા પૂર્વમાં આરકે માથુરની જગ્યાએ લદ્દાખના ત્રીજા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા. પીશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે 3.5 વર્ષ સેવા બાદ રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ તેમણે જણાવ્યું, “મેં રાજભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે.” પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે 2026માં ચૂંટણી યોજાવાની છે, જે આ રાજીનામાની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ છે.   Follow us…

સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ

લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકને સ્વાસ્થ્યના આધારે મુક્ત કરી શકાય તેમ નથી, કારણ કે તેઓ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમના પતિનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર વતી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે, “અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વખત વાંગચુકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ મુજબ તેઓ શારીરિક રીતે સક્ષમ છે અને તેમને કોઈ ગંભીર બીમારી નથી.” લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ…

સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”

લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…

LAC પર ભારતની મોટી કૂટનીતિક જીત, ડેપસાંગ અને ડેમચોકમાં ચીની અવરોધ દૂર

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા LAC સીમા વિવાદમાં ભારતને એક મોટી કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા મળી છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ બાદ જ્યાં પેટ્રોલિંગ અટકી ગયું હતું, તેવા ડેપસાંગ અને ડેમચોકના સંવેદનશીલ વિસ્તારોમાં હવે ભારતીય સૈનિકો ફરી સંપૂર્ણ અધિકાર સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. ભારતીય સેનાના 14મા કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ આ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, “LAC પર હવે સ્થિતિ ઘણીઘણી સ્થિર બની છે અને શાંતિનો નવો અધ્યાય શરૂ થયો છે.” પેટ્રોલિંગમાં મોટો વધારો, ‘ફેસ-ઓફ’ની શક્યતા નાબૂદ લેફ્ટનન્ટ જનરલ ભલ્લાના જણાવ્યા અનુસાર, 21 ઓક્ટોબર 2024ના રોજ થયેલી સર્વસંમતિ બાદ જમીન પર પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. અગાઉ જ્યાં બંને દેશોની સેનાઓ સામસામે આવી જતી હતી, ત્યાં હવે સંકલિત અને પૂર્વ…

બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા બાદ ‘ધુરંધર’ લદ્દાખમાં કરમુક્ત, કમાણીમાં આવશે વધુ ઉછાળો

લદ્દાખમાં ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર પોતાની અપેક્ષાઓથી પણ વધુ સારું પ્રદર્શન કરી રહી છે. રિલીઝને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં ફિલ્મની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. એક પછી એક રેકોર્ડ તોડી રહેલી આ ફિલ્મ હવે વધુ મોટી કમાણી તરફ આગળ વધી રહી છે, કારણ કે તેને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. લદ્દાખમાં કરમુક્તિ મળવાથી ફિલ્મના ટિકિટ દર ઘટશે, જેના કારણે વધુ પ્રેક્ષકો સિનેમાઘરો સુધી પહોંચશે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે આ નિર્ણયથી ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ કમાણીમાં નોંધપાત્ર વધારો થશે. નવા વર્ષમાં ફિલ્મમાં કરવામાં આવ્યા ફેરફાર નવું વર્ષ શરૂ થતાં જ ‘ધુરંધર’નું સુધારેલું સંસ્કરણ 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ નવા વર્ઝનમાં ફિલ્મના કેટલાક શબ્દો અને…

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી વાટાઘાટ પૂર્ણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો સંદેશ

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી બેઠક બુધવારે પૂર્ણ થઈ. આ બેઠકને બંને દેશો વચ્ચેના બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઠક સકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય મુદ્દાઓ: – બેઠકમાં પૂર્વી લદ્દાખ સહિતના વિવાદિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવી. – પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વ્યવસ્થાપન મજબૂત બનાવવા બાબતે સહમતી થઈ. – આ બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો ઈશારો માનવામાં આવી રહ્યો છે. -2020 પછી પહેલીવાર ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ છે. 2020માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ…

સોનમ વાંગચુક હતા પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં… લદ્દાખના DGPએ કર્યો ખુલાસો

લદ્દાખના ડીજીપી એસડી સિંહ જામવાલે સોનમ વાંગચુક અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. શનિવારે એક નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધો છે. ડીજીપીએ પડોશી દેશોની તેમની યાત્રાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે સોનમ વાંગચુકે તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ કરી હતી. સોનમ વાંગચુકની શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની ધરપકડ અને તેમની સામેના આરોપો એક ષડયંત્રનો ભાગ છે અને કેન્દ્ર સરકાર લોકોની માંગણીઓને સંબોધવાને બદલે તેમનો બલિના બકરા તરીકે ઉપયોગ કરી રહી છે. લેહમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ડીજીપી એસડી સિંહ…