LAC પર ભારતની મોટી કૂટનીતિક જીત, ડેપસાંગ અને ડેમચોકમાં ચીની અવરોધ દૂર

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા LAC સીમા વિવાદમાં ભારતને એક મોટી કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા મળી છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ બાદ જ્યાં પેટ્રોલિંગ અટકી ગયું હતું, તેવા ડેપસાંગ અને ડેમચોકના સંવેદનશીલ વિસ્તારોમાં હવે ભારતીય સૈનિકો ફરી સંપૂર્ણ અધિકાર સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. ભારતીય સેનાના 14મા કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ આ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, “LAC પર હવે સ્થિતિ ઘણીઘણી સ્થિર બની છે અને શાંતિનો નવો અધ્યાય શરૂ થયો છે.” પેટ્રોલિંગમાં મોટો વધારો, ‘ફેસ-ઓફ’ની શક્યતા નાબૂદ લેફ્ટનન્ટ જનરલ ભલ્લાના જણાવ્યા અનુસાર, 21 ઓક્ટોબર 2024ના રોજ થયેલી સર્વસંમતિ બાદ જમીન પર પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. અગાઉ જ્યાં બંને દેશોની સેનાઓ સામસામે આવી જતી હતી, ત્યાં હવે સંકલિત અને પૂર્વ…

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી વાટાઘાટ પૂર્ણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો સંદેશ

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી બેઠક બુધવારે પૂર્ણ થઈ. આ બેઠકને બંને દેશો વચ્ચેના બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઠક સકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય મુદ્દાઓ: – બેઠકમાં પૂર્વી લદ્દાખ સહિતના વિવાદિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવી. – પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વ્યવસ્થાપન મજબૂત બનાવવા બાબતે સહમતી થઈ. – આ બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો ઈશારો માનવામાં આવી રહ્યો છે. -2020 પછી પહેલીવાર ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ છે. 2020માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ…

ચીને ફરીએકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ ફરી એકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં ડ્રોન અને માનવરહિત સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ પુનઃસ્થાપિત કરવા માટે કરાર થયો છે..ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબર 2024 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી શરૂ કરવા સંમતિ આપવામાં આવી હતી. આ કરાર 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તણાવ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કરાર છતાં, સરહદ પર બંને પક્ષો વચ્ચે અનિશ્ચિતતા…