ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સીએમ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું છે કે શું હવે આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ? આ પણ વાંચો :- મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત એક સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે હાસ્ય કલાકાર કુણાલ કામરાએ કોઈને દેશદ્રોહી કહ્યા, ત્યારે એકનાથ શિંદેની પાર્ટીના સભ્યોએ કહ્યું કે અમારા નેતાને દેશદ્રોહી કહેવામાં આવ્યા અને તેમનું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. હવે અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથને પૂછીએ છીએ કે શું આ તોડફોડ કરનારાઓના ઘર તોડી પાડવામાં આવશે કે…

તોડફોડનું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં મુંબઈના એક સ્ટુડિયોમાં પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે.તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ કાનૂની કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે. એક ઇન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે કુણાલ કામરાએ ફક્ત તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે પણ અપમાનજનક અને કટાક્ષપૂર્ણ…