ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, હાઇકોર્ટના આદેશ પર લગાવી રોક
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કુલદીપ સેંગરને પણ નોટિસ ફટકારી છે. દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરી હતી અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. CJI એ કહ્યું કે ચુકાદો આપનાર હાઈકોર્ટના ન્યાયાધીશ ખૂબ સારા ન્યાયાધીશ છે. જોકે, કોઈપણ વ્યક્તિ ભૂલ કરી શકે છે. જો કોઈ કોન્સ્ટેબલ POCSO હેઠળ જાહેર સેવક હોઈ શકે છે, તો ધારાસભ્યને કેમ બાકાત રાખવામાં આવ્યો? આ ચિંતાનો વિષય છે. CBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટના નિર્ણયને ગેરબંધારણીય, ખોટો અને સમાજ માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. CBIએ પોતાની અરજીમાં…







