પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું…
ગુજરાત: નવા ઈન્ચાર્જ DGP તરીકે ડૉ. કે.એલ.એન. રાવને સોંપાઈ જવાબદારી
ગુજરાત રાજ્યને નવા ઈન્ચાર્જ પોલીસ વડા મળ્યા છે. રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થતા રાજ્ય સરકાર દ્વારા ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોંધનીય છે કે વિકાસ સહાય મૂળતઃ છ મહિના પહેલા નિવૃત થવાના હતા, પરંતુ સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. તેમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલ માટે ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. ડૉ. રાવ ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારીઓમાં شمارાય છે અને તેમને વહીવટી તથા પોલીસ ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ગુજરાતના નવા ડીજીપી તરીકે અનેક…
ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો
ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નવા DGPને લઈને અટકળો તેજ વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં…









