ઈરાનમાં શોક અને દહેશત: ખામેનીના અંતિમ સંસ્કાર પર ઈઝરાયલી હુમલાનો ભય

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ ઊભો થયો છે. બુધવારે મોડી રાત્રે તેહરાનમાં યોજાનારા અંતિમ સંસ્કારને અચાનક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે ઘણી ચર્ચાઓ અને ચિંતાઓનો વિષય બની છે. ઈરાની પ્રશાસન અને ઇસ્લામિક વિકાસ સંકલન પરિષદના જણાવ્યા મુજબ, વિલંબ પાછળનું મુખ્ય કારણ માત્ર લોકોની મોટી સંખ્યા નહીં, પરંતુ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા સંભવિત હુમલાનો ભય છે. 1989માં ખોમેનીના અંતિમ સંસ્કારમાં કરોડો લોકો ઉમટી પડ્યાં હતાં. આ વખતે ખામેનીની લોકપ્રિયતા અને વર્તમાન યુદ્ધની સ્થિતિને જોતા સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. અંતિમ સંસ્કાર અને દફનાની યોજના ખામેનીના વસિયતનામા અનુસાર, તેમનું દફન મશહદમાં ઈમામ રેઝા દરગાહ પાસે કરવામાં આવશે, જે શિયા ઈસ્લામમાં અત્યંત પવિત્ર સ્થાન ગણાય…

નવા ઇરાની સુપ્રીમ લીડરની પસંદગી વચ્ચે ઇઝરાયલનો હુમલો, એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સની બિલ્ડિંગ નિશાન પર

ઇરાનમાં નવા સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઇઝરાયલે કોમ શહેરમાં હવાઈ હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. માહિતી મુજબ ‘એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’ની તે ઇમારતને નિશાન બનાવવામાં આવી, જ્યાં વરિષ્ઠ ધર્મગુરુઓ બેઠક માટે એકત્રિત થયા હતા. ‘એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’માં 88 સભ્યો હોય છે, જેઓ દેશના સુપ્રીમ લીડરની પસંદગી માટે જવાબદાર છે. હુમલામાં ઇમારતને ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે, પરંતુ તે સમયે અંદર કેટલા લોકો હાજર હતા તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જંગના પહેલા દિવસે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારથી સુપ્રીમ લીડરનું પદ ખાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાર દિવસમાં ભારે જાનહાનિ ઇરાની રેડ ક્રેસન્ટ સોસાયટીના…

મશહદમાં દફનાવવામાં આવશે ખામેનીને, નવા સુપ્રીમ લીડરની જાહેરાત આવતા સપ્તાહે શક્ય

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે, જોકે અંતિમ વિધિનો દિવસ અને તારીખ હજી નક્કી કરવામાં આવી નથી. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ મુજબ, ખામેનીને ઈમામ રઝાની દરગાહ નજીક સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. નોંધનીય છે કે ખામેનીનો જન્મ 1939માં મશહદમાં જ થયો હતો. અહેવાલો મુજબ, નવા સુપ્રીમ લીડરની જાહેરાત ખામેનીને દફનાવ્યા પછી જ કરવામાં આવશે. મંગળવારે કોમ શહેરમાં ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા સુપ્રીમ લીડરની પસંદગી માટે મતદાન થયાની માહિતી સામે આવી હતી. 88 સભ્યોની આ સંસ્થા દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતાની પસંદગી માટે જવાબદાર છે. 28 ફેબ્રુઆરીએ યુએસ અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ખામેનીના મોત થયા હોવાનું દાવો કરવામાં આવ્યું હતું, ત્યારથી સુપ્રીમ લીડરનું પદ ખાલી છે. બીજી તરફ, ઈરાની વિપક્ષ સાથે જોડાયેલા ‘ઈરાન ઈન્ટરનેશનલ’એ દાવો કર્યો…

ખામેનેઈની ટ્રમ્પને ખુલ્લી ધમકી: “દુનિયાના એકેય ખૂણે અમેરિકન સુરક્ષિત નહીં રહે”

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાને એક સત્ય અને ગંભીર ચેતવણી આપી છે. ‘સદા-એ-ઈરાન’ અખબાર દ્વારા પ્રકાશિત એક તંત્રીલેખમાં ખામેનેઈએ સ્પષ્ટ રૂપે સંકેત આપ્યો છે કે, જો ભવિષ્યમાં ઈરાન વિરુદ્ધ કોઇ નવી લડાઈ શરૂ થાય, તો આ પરિસ્થિતિ મર્યાદિત નહીં રહે, પરંતુ દુનિયાભરમાં ફેલાઈ જશે. “ઈરાન પર હુમલો થતો હોય તો…” લેખમાં જણાવાયું છે કે, જો ઈરાન પર કોઇ સંલગ્ન હુમલો થયો, તો પૂર્વમાં નક્કી કરાયેલી મર્યાદાઓ બદલાઈ જશે. ખામેનેઈના અધિકારીઓના અનુસાર, “અમેરિકાની આક્રમકતા ઈરાનની જમીન પર પહોંચી ગઈ, તો વિશ્વના દરેક ખૂણામાં જ્યાં પણ અમેરિકન નાગરિકો હશે, તેઓ સુરક્ષિત નહીં રહે.” આ સાથોસાથ, ઇરાનના અધિકારીઓએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, તાજેતરના 12 દિવસીય યુદ્ધમાં તેઓએ ‘ઝાયોનિસ્ટ અને અમેરિકન આક્રમણકારો’ને સફળતાપૂર્વક મુકાબલો કર્યો છે, પરંતુ…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન હુમલાના ડરથી જાહેર જીવનમાંથી દૂર રહેવું પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીને કારણે ખામેનીને તેહરાનની આસપાસના ઉચ્ચ સુરક્ષાવાળા બંકરમાં ખસેડવામાં આવ્યા છે. જૂન 2025માં પણ ખામેની લગભગ 21 દિવસ સુધી આ પ્રકારના બંકરમાં છુપાયેલા રહ્યા હતા. બીઈબીસી પર્શિયનના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિએ ખામેનીના “અંત” અંગે કાસિમ સુલેમાની અથવા આઈએસના અબુ બકર અલ-બગદાદી જેવા બનાવવાની વાત ખુલ્લેઆમ કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ જણાવ્યું છે કે, “જો ખામેની પર કોઈ હુમલો થાય તો તેને ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશે.” વિશ્લેષકોનું…