કેરળના કન્નુરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા, વિસ્તારમાં સનસનાટી

કેરળના કન્નુર જિલ્લામાં શુક્રવારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કુથુપરંબા નજીક નીરવેલી વિસ્તારની છે. પોલીસ મુજબ, 20 વર્ષીય કિશનનો મૃતદેહ તેની દાદીના ઘરે મળ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને થાલાસેરી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં, પોલીસ હોસ્પિટલમાંથી પરત ફરી ત્યારે કિશનની દાદી વી.કે. રેજી અને તેની બહેન રોજાના મૃતદેહ પણ તે જ ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે કિશન તેની દાદી અને બહેન સાથે રહેતો હતો અને પરિવાર વચ્ચે ગાઢ લાગણીબંધ હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ઘટનાક્રમ પાછળ ગંભીર માનસિક તણાવ કારણ બની શકે છે. પોલીસે આ પણ જણાવ્યું કે કિશન અગાઉ એક ગુનાહિત કેસમાં સંડોવાયેલો…

સબરીમાલા મંદિરના 4 કિલો સોનાના ગુમ થતાં મામલે વિવાદ ઘેરાયો, હાઈકોર્ટે દેવસ્વોમ બોર્ડને આપ્યો ઠપકો

કેરળ રાજ્યના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 4 કિલોગ્રામ સોનાના ગુમ થવાના મામલાએ તીવ્ર ચકચાર મચાવી છે. આ કેસ હવે માત્ર “ચોરી” પુરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ મંદિર સંચાલન હેઠળના ટ્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) દ્વારા સંભવિત બેદરકારી અને ગેરવહીવટના ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. ચોરી નહીં… પણ ‘ફરિયાદી’ના ઘરમાંથી મળ્યું સોનું! 27 સપ્ટેમ્બરના રોજ TDBની વિજિલન્સ શાખાએ જે 4 કિલો જેટલું ગુમ સોનું શોધી કાઢ્યું હતું, તે ક્યાંક બહારના ચોરના ઘરમાંથી નહિ, પરંતુ ફરિયાદ કરનાર ઉન્નીકૃષ્ણન પોટ્ટીના બાંધવના ઘરમાંથી મળ્યું. પોટ્ટી એ જ વ્યક્તિ છે જેમણે સૌપ્રથમ મંદિરમાંથી મૂર્તિઓના ઢાળ અને સોનાના ભાગ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. હાઈકોર્ટનો તીવ્ર ઠપકો કેરળ હાઈકોર્ટની બેન્ચે 29 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન આ મામલે કડક ટિપ્પણીઓ કરતાં કહ્યું:…