કર્ણાટકમાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતને કેબિનેટની મંજુરી
કર્ણાટક કેબિનેટે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ (KTPP) એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નિર્ણય લીધો કે KTPP એક્ટ વર્તમાન વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં સુધારા કરવામાં આવશે. આ કાયદામાં ફક્ત સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને અનામત આપવા માટે ફેરફારો કરવામાં આવ્યા છે. આ અનામતની મર્યાદા 4 ટકા રાખવાની છે. સૂત્રોના હવાલેથી આ માહિતી પ્રકાશમાં આવી છ. આ પણ વાંચો :- તમિલનાડુ સરકાર દ્વારા રૂપિયાનું સિમ્બોલ ‘₹’દુર કરવાનો મામલો, જાણો તેના ડિઝાઇનરની શું આવી પ્રતિક્રિયા શુક્રવારે (૧૪ માર્ચ) કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં વિધાનસભાના કેબિનેટ હોલમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ, 7 માર્ચે કર્ણાટક સરકારના બજેટની રજૂઆત દરમિયાન, મુસ્લિમોને સરકારી કોન્ટ્રાક્ટમાં અનામત આપવામાં આવશે તેની પુષ્ટિ કરવામાં આવી હતી. ૧ કરોડ રૂપિયા…







