પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત

પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર અચાનક રદ કરી દીધો છે. આ નિર્ણય UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની સફળ મુલાકાત બાદ લેવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. એક તરફ ભારત અને UAE વચ્ચે અબજો ડોલરના રોકાણ અને સંરક્ષણ કરારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાને તેના સૌથી જૂના ખાડી દેશના સહયોગનો ભરોસો ગુમાવી દીધો છે. UAEનો નિવેદન અને રાજકીય દૃષ્ટિકોણ UAE એ આ નિર્ણય પાછળ પાકિસ્તાની પ્રોજેક્ટ્સમાં “રસનો અભાવ” હોવાનું કારણ બતાવ્યું છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ નિર્ણય પાછળ પાકિસ્તાનની આર્થિક નબળાઈ, આંતરિક રાજકીય અસ્થિરતા…