Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો

સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કાપોદ્રા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે. જેમાં ગઇકાલે પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેમને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. તમામની તબિયત સ્ટેબલ છે. આ બનાવની જાણ થતા…