છાવા’ :’છાવા’ના ડિરેક્ટરે કાનહોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિના કેસની ધમકી મળી, જાણો વિવાદનું કારણ
વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ આજકાલ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેણે 11 દિવસમાં 345.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. પરંતુ હવે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે, જેના કારણે ફિલ્મ નિર્માતાઓને શિર્કે પરિવારના વંશજોની માફી માંગવાની ફરજ પડી છે. વાસ્તવમાં, ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે મહારાણી યેસુબાઈના ભાઈ કાન્હોજી-ગણોજી શિર્કેએ સંભાજી મહારાજ સાથે દગો કર્યો હતો. તેણે ઔરંગઝેબને મહારાજનું સરનામું આપ્યું અને તેમને મારી નાખ્યા. શિર્કે પરિવારના વંશજોએ આનો વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ નિર્માતાઓને 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસની ધમકી આપી છે. -> ડિરેક્ટરને નોટિસ મોકલી :- ગણોજી અને કાનહોજી શિર્કેના ૧૩મા વંશજ લક્ષ્મીકાંત રાજે શિર્કેએ દાવો કર્યો છે…







