જેતપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, અનૈતિક સંબંધોને લઈને થતાં હતા અવારનવાર ઝગડા
B INDIA જેતપુર : જેતપુરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બળદેવ ધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ હારુનભાઈ મડમના નિકાહ મહારાષ્ટ્ના પુના ગામની શબનમ સાથે દસેક વર્ષ પૂર્વે થયા હતાં. દસ વર્ષના લગ્ન જીવનમાં ફિરોઝ અને શબનમ એક પુત્ર અને પુત્રીના માતા-પિતા બન્યા. નિકાહના પાંચેક વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતે ખટરાગ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ફિરોઝને પત્નીના વર્તન પર શંકા ગઈ. ફિરોઝને લાગતું હતું કે, તેની પત્ન શબનમના અન્ય કોઈ સાથે સંબંધ છે. આ બાબતને લઈને પતિ-પત્નિ વચ્ચે અનેક વખત ઝગડાઓ થયા. પત્નીના અનૈતિક સંબંધને લઈને ફિરોઝે અનેક વખત શબનમની પૂછપરછ પણ કરતો ત્યારે વચ્ચે બંને ખાસ્સી બોલાચાલી હતી. શબનમ પાંચેક મહિના પૂર્વે સંતાનોને…







